Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Tamil Nadu : BSP પ્રમુખની હત્યા કરી, ગુસ્સે ભરાયેલા સમર્થકોએ રસ્તો જામ કર્યો…

07:57 AM Jul 06, 2024 | Dhruv Parmar

બહુજન સમાજ પાર્ટી (BSP) તમિલનાડુ (Tamil Nadu)ના પ્રમુખ આર્મસ્ટ્રોંગની તેમના ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી. BSP પ્રમુખ આર્મસ્ટ્રોંગની શુક્રવારે સાંજે લગભગ સાડા સાત વાગ્યે હત્યા કરવામાં આવી હતી. તમિલનાડુ (Tamil Nadu)ના બસપા પ્રમુખની ચેન્નાઈના પેરામ્બુરમાં તેમના નિવાસસ્થાને 6 બાઇક સવારોએ હત્યા કરી નાખી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો…

આ કેસ વિશે વધુ વિગતો આપતાં સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે આર્મસ્ટ્રોંગ જ્યારે તેમના ઘરમાં પ્રવેશી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના શુક્રવારે સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ બની હતી. લોહીલુહાણ આર્મસ્ટ્રોંગને ગ્રીમ્સ રોડ પરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલ પહોંચતા જ તબીબોની ટીમે તેને મૃત જાહેર કર્યો હતો. કોલાથુર પોલીસ BSP પ્રમુખની હત્યાની તપાસ કરી રહી છે. પોલીસે આરોપીઓની ધરપકડ શરૂ કરી છે.

ગુસ્સે ભરાયેલા સમર્થકોએ રસ્તો રોકી દીધો હતો…

રાજ્ય BSP અધ્યક્ષની હત્યાના સમાચાર મળતા જ સમર્થકોની ભીડ ઘટના સ્થળ અને હોસ્પિટલ પર એકઠી થઈ ગઈ હતી. તમિલનાડુ (Tamil Nadu) BSP પ્રમુખ આર્મસ્ટ્રોંગની હત્યાના વિરોધમાં બહુજન સમાજ પાર્ટીના કાર્યકરો અને સમર્થકોએ ચેન્નાઈમાં રસ્તા રોક્યા હતા. તમામ સમર્થકો બાઇક સવાર હુમલાખોરોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે.

માયાવતીએ દુઃખ વ્યક્ત કર્યું, દોષિતો સામે કાર્યવાહીની માંગ કરી…

પાર્ટી સુપ્રીમો માયાવતીએ તમિલનાડુ (Tamil Nadu)ના BSP અધ્યક્ષની હત્યા પર શોક વ્યક્ત કર્યો છે. માયાવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે ચેન્નાઈમાં તેમના ઘરની બહાર આર્મસ્ટ્રોંગની હત્યા અત્યંત નિંદનીય છે. આર્મસ્ટ્રોંગ વ્યવસાયે વકીલ હતા. તેઓ રાજ્યમાં દલિતોના મજબૂત અવાજ તરીકે જાણીતા હતા. રાજ્ય સરકારે ગુનેગારોની ધરપકડ કરી કડક કાર્યવાહી કરવી જોઈએ.

આર્મસ્ટ્રોંગ દલિતોના અવાજ તરીકે જાણીતા હતા…

તમને જણાવી દઈએ કે આર્મસ્ટ્રોંગ ગ્રેટર ચેન્નાઈ કોર્પોરેશનના કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે. તમિલનાડુ (Tamil Nadu)માં BSP નો ચૂંટણીમાં બહુ પ્રભાવ ન હોવા છતાં, આર્મસ્ટ્રોંગ રાજ્યમાં દલિત આંબેડકરવાદી અવાજ તરીકે જાણીતા હતા. લોકસભા ચૂંટણીમાં પણ તેઓ પાર્ટી માટે ખૂબ જ સક્રિય હતા.

આ પણ વાંચો : BSP નેતાની ઘરની બહાર હત્યા, 6 ગુંડાઓએ કરી મારા મારી અને…

આ પણ વાંચો : અગ્નવીર અજય કુમારને લઈને Rahul Gandhi એ મોદી સરકારને ઘેરી, કહ્યું – વળતર અને વીમા વચ્ચે તફાવત હોય છે

આ પણ વાંચો : NEET Paper Leak મામલે જો મારા વિરુદ્ધ પુરાવા હોય તો મારી ધરપકડ કરો : તેજસ્વી યાદવ