Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

MP : ઈન્દોર ચિલ્ડ્રન આશ્રમમાં 5 ના મોત બાદ વધુ 8 બાળકોની તબિયત લથડી, ખળભળાટ મચ્યો…

02:58 PM Jul 03, 2024 | Dhruv Parmar

મધ્યપ્રદેશ (MP)ના ઈન્દોરમાં યુગપુરુષ આશ્રમમાં 5 બાળકોના મોતના મામલામાં વહીવટી હલચલ હજુ અટકી નથી, ત્યારે અહીંથી વધુ એક મોટું અપડેટ સામે આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે અહીં સારવાર લઈ રહેલા વધુ 8 બાળકોની તબિયત મોડી રાત્રે અચાનક બગડી ગઈ છે. આ બાળકોને ICU માં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી બેની હાલત અત્યંત નાજુક છે. તમને જણાવી દઈએ કે હાલમાં ચાચા નેહરુ હોસ્પિટલમાં 38 બાળકોની સારવાર ચાલી રહી છે. આ મામલે કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય અને મંત્રી તુલસી સિલાવત મોડી રાત્રે બાળકોની ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં તેમણે અધિકારીઓ અને ડોક્ટરોને સારવાર માટે શક્ય તમામ વ્યવસ્થા કરવા સૂચના આપી હતી.

હોસ્પિટલનું નિરીક્ષણ કર્યા બાદ કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે મધ્યપ્રદેશ (MP)માં આ પહેલો આશ્રમ છે, જ્યાં માનસિક રીતે બીમાર બાળકોને સેવા આપવામાં આવે છે. આ બાળકોની સંભાળ લેવા માટે લોકો ઉપલબ્ધ નથી, CRS ફંડથી આ સંસ્થાને વધુ સારી બનાવવાના પ્રયાસો કરવામાં આવશે.

બાળકોને ઉલ્ટી અને ઝાડા થવાની ફરિયાદ હતી…

હકીકતમાં ઈન્દોરના યુગપુરુષ આશ્રમમાં બાળકોએ ઉલ્ટી અને ઝાડા થવાની ફરિયાદ કરી હતી, જે બાદ આશ્રમના સંચાલકે 12 બાળકોને સારવાર માટે ચાચા નેહરુ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં અત્યાર સુધીમાં 5 બાળકોની તબિયત સતત લથડતા સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. આ બાબતની નોંધ લેતા કલેક્ટર આશિષ સિંહે તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો : Jharkhand : 6 વર્ષની બાળકીને પીંખી નાખનાર આરોપીને HC એ મૃત્યુદંડમાંથી આપી મુક્તિ, તર્ક ચોંકાવનારું…!

આ પણ વાંચો : PM Modi : ’10 વર્ષ થયા, હજુ 20 વર્ષ બાકી છે, કોંગ્રેસની એક તૃતીયાંશ સરકારના કટાક્ષ પર મોદીનો પલટવાર…

આ પણ વાંચો : Hathras Stampede : અકસ્માત બાદ હાથરસ પહોંચ્યા CM યોગી, હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા…