WEST BENGAL TRAIN ACCIDENT : આજે પશ્ચિમ બંગાળમાં એક મોટી ટ્રેન દુર્ઘટના (TRAIN ACCIDENT) સર્જાઈ છે. અહીં પાછળથી ઉભેલી કંચનગંગા એક્સપ્રેસ ટ્રેનને એક માલગાડીએ ટક્કર મારી છે. NJP થી સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસ સિલિગુડીને પાર કર્યા પછી રંગાપાની સ્ટેશન પાસે અકસ્માતનો ભોગ બની છે, આ ઘટના બાદ ટ્રેનની પાછળની ત્રણ બોગીઓ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં માલગાડીના લોકો પાયલટનું પણ મોત થયું છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી
Unfortunate accident in NFR zone. Rescue operations going on at war footing. Railways, NDRF and SDRF are working in close coordination. Injured are being shifted to the hospital. Senior officials have reached site.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 17, 2024
આ દુર્ઘટના ઉપર હવે ભારતના રેલવે મંત્રીએ દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટર ( હાલના X ) ઉપર લખ્યું કે, NFR વિસ્તારમાં એક કમનસીબ અકસ્માત થયો છે. બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. રેલ્વે, એનડીઆરએફ અને એસડીઆરએફ નજીકના સંકલનમાં કામ કરી રહ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
હાલમાં પ્રશાસન દ્વારા HELP LINE નંબર જાહેર કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે :
સિયાલદહમાં હેલ્પ ડેસ્ક નંબર
033-23508794
033-23833326
GHY સ્ટેશન
03612731621
03612731622
03612731623
LMG હેલ્પલાઇન નંબર
03674263958
03674263831
03674263120
03674263126
03674263858
કિર સ્ટેશન હેલ્પ ડેસ્ક નંબર- 6287801805
કટિહાર હેલ્પ લાઇન નંબર
09002041952
9771441956
ઇમરજન્સીએનજેપી: +916287801758
આ પણ વાંચો : SIKKIM માં ભારે વરસાદ અને ભૂસ્ખલને મચાવી તબાહી, 1500 થી વધુ પ્રવાસીઓ ફસાયા