ચક્રવાત ‘Remal’ હજી સુધી દરિયાકાંઠે અથડાયો નથી, પરંતુ તેની અસર પહેલેથી જ દેખાઈ રહી છે. ચક્રવાત ‘Remal’ ના ખતરાને જોતા કોલકાતા એરપોર્ટને 9 કલાક માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આ નવ કલાક દરમિયાન અહીંથી કોઈ ફ્લાઈટ ઉપડી શકશે નહીં. આ સાથે, કોલકાતા શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ પર તમામ ‘કાર્ગો અને કન્ટેનર હેન્ડલિંગ’ કામ પણ રવિવાર સાંજથી 12 કલાક માટે સ્થગિત રહેશે.
Remal અડધી રાત્રે બીચ પર પટકાશે…
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડી પર બનેલું ચક્રવાત ‘Remal’ રવિવારે મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના છે. IMD અનુસાર, પશ્ચિમ બંગાળ તેમજ ત્રિપુરા, આસામ, નાગાલેન્ડ અને મણિપુર જેવા અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ અને ભારે પવન ફૂંકાઈ શકે છે. ત્રિપુરાના પ્રાદેશિક હવામાન કેન્દ્રે પણ 26 મેથી પ્રતિકૂળ હવામાનની ચેતવણી આપી છે.
કોલકાતા એરપોર્ટ ક્યારે અને કેટલા સમય માટે બંધ રહેશે?
ચક્રવાત ‘Remal’ ના ખતરાને જોતા કોલકાતા એરપોર્ટ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કોલકાતા સહિત પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તાર પર ચક્રવાત ‘Remal’ ની અસરને ધ્યાનમાં રાખીને, 26.05.2024 ના રોજ 1200 IST થી 27.05.2024 ના રોજ 0900 IST સુધી ફ્લાઇટ ઓપરેશન સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોલકાતા બંદર પણ બંધ…
ચક્રવાતી તોફાનની આગાહીને ધ્યાનમાં રાખીને, કોલકાતા શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ પર તમામ ‘કાર્ગો અને કન્ટેનર હેન્ડલિંગ’ કામગીરી રવિવાર સાંજથી 12 કલાક માટે સ્થગિત રહેશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કામગીરી રવિવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સ્થગિત રહેશે. તેમણે કહ્યું કે પોર્ટ પર કામ કરતા કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Delhi ના મુંડકા વિસ્તારમાં એક ફેક્ટરીમાં ભીષણ આગ, 26 ફાયર ટેન્કરો ઘટનાસ્થળે હાજર…
આ પણ વાંચો : Jammu and Kashmir : કુલગામમાં ભયાનક માર્ગ અકસ્માત, ચારના મોત, ત્રણની હાલત ગંભીર…
આ પણ વાંચો : Haryana : ધારાસભ્ય રાકેશ દૌલતાબાદનું અવસાન, 45 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ…