Acharya Pramod Krishnam: આગામી સમયમાં હવે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેથી અત્યારે દેશમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. આ દરમિયાન આચાર્ય પ્રમોદ કૃષ્ણમ પ્રધાનમંત્રીની મુલાકાતે ગયા હતા. જેને લઈને અત્યારે એવી અટકળો થઈ રહી છે કે, તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી સાથે તેમની બેઠકો વધતી હોવાની અટકળો થઈ રહી છે. જો કે, આ મામલે આચાર્ય પ્રમોદ કે ભાજપ દ્વારા તેની કોઈ જાણકારી સત્તાવાર રીતે આપવામાં આવી નથી. પરંત રામ મંદિરનું આમંત્રણ ઠૂકરાવવા બદલ કોંગ્રેસના નેતાઓ તરફ પોતાના નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે.
તુફાન પણ આવશેઃ આયાર્ય પ્રમોદ
મળતી વિગતો પ્રમાણે આયાર્ય પ્રમોદે પ્રધાનમંત્રી સાથે કરેલી મુલાકાતની એક તસવીર શેર કરી હતી. તેઓ કલ્કિ ધામના કાર્યક્રમ માટે પ્રધાનમંત્રીને આમંત્રણ આપવા માટે ગયા હોવાની જાણકારી મળી છે. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, ‘19 ફેબ્રુઆરીએ આયોજીત શ્રી કલ્કી ધામ ના શિલાન્યાસ સમારોહમાં ભારતના વડાપ્રધાન નરેદ્ર મોદીને આમંત્રણ આપવાનું સૌભાગ્ય મળ્યું, મારા આ પવિત્ર ભાવનું માન રાખી આમંત્રણ સ્વીકારવા માટે માનનીય પ્રઘાનમંત્રીજીનો ખુબ ખુબ આભાર.’ વધુમાં તેમણે લખ્યું કે, ‘તુફાન પણ આવશે’
આના પર પ્રધાનમંત્રી મોદીએ પણ જવાબ આપ્યો છે. તેમણે લખ્યું કે, ‘આસ્થા અને ભક્તિ સાથે જોડાયેલા આ શુભ અવસરનો ભાગ બનવું મારા માટે સૌભાગ્યની વાત છે. આમંત્રણ બદલ આપનો હૃદયપૂર્વક આભાર આચાર્ય પ્રમોદ કૃષ્ણમ જી.’
પ્રધાનમંત્રીના કર્યા ભરપૂર વખાણ
ઉલ્લેખનીય છે કે, 22 જાન્યુઆરીએ અયોધ્યામાં થયેલા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આમંત્રણ કોંગ્રેસના નેતાઓએ સ્વાકાર્યું નહોતું. જો કે, આયાર્ય પ્રમોદે (Acharya Pramod Krishnam) આ સમારોહમાં હાજરી આપી હતી. તેમણે પણ રામ મંદિર બનાવવાનું શ્રેય પ્રધાનમંત્રીને આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘કોર્ટના નિર્ણયને કારણે મંદિરનું નિર્માણ થયું છે… સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો અને ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર મંદિરનું નિર્માણ શરૂ થયું અને આવતીકાલે તેને પવિત્ર કરવામાં આવશે… જો મોદી હોત તો દેશના વડાપ્રધાન નહોતા, જો આ નિર્ણય ન લેવાયો હોત અને આ મંદિર ન બન્યું હોત… રામ મંદિરના નિર્માણ અને તેના અભિષેકના શુભ દિવસ માટે હું વડાપ્રધાન મોદીને શ્રેય આપવા માંગુ છું.’
આચાર્ય પ્રમોદે વિપક્ષી ગઠબંધન અંગે વાત કરી
બિહારના સીએમ નીતિશ કુમારના એનડીએમમાં પાછા ફરવા પર આચાર્ય પ્રમોદે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના અંત વિશે પણ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘ભારત ગઠબંધન શરૂઆતથી જ ગંભીર બીમારીથી સંક્રમિત છે. આ પછી તે આઈસીયુમાં ગઈ હતી. બાદમાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ગઈ કાલે નીતીશ કુમારે તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. હવે ભારત ગઠબંધનનું શું થશે?
કોંગ્રેસ નેતાએ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને પણ પર્યટન ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, ‘કોંગ્રેસ પાર્ટીમાં અમારી પાસે આવા તમામ મહાન અને બુદ્ધિશાળી નેતાઓ છે. એક તરફ દેશનું 2024નું મહાભારત તૈયાર થઈ રહ્યું છે, તો બીજી તરફ પાર્ટી રાજકીય પ્રવાસ કરી રહી છે. વાસ્તવમાં આપણે 2024 પછી વિચારીશું કે 2024માં કેવી રીતે જીતી શકાય. એવું લાગે છે કે આપણે 2029ની લોકસભા ચૂંટણી માટે તૈયારી કરી રહ્યા છીએ. જો આપણે 2024ની તૈયારી કરી રહ્યા હોત તો આવું ન થયું હોત.
ચૂંટણીમાં મળેલી હારને લઈને કરી મોટી વાત
ગયા વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ચૂંટણી હાર્યા બાદ તેમણે કોંગ્રેસનું નામ લીધા વગર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે લખ્યું હતું કે, ‘સનાતનના શાપથી ડૂબી ગયો.’ 2018 માં, કોંગ્રેસે આ ત્રણેય રાજ્યોમાં જીત મેળવી હતી અને સરકાર બનાવી હતી, પરંતુ 2020 માં એમપી, રાજસ્થાન અને 2020 અને 2023 માં છત્તીસગઢમાં મુખ્યમંત્રી પદ ગુમાવ્યું હતું.