Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Kallakurichi hooch tragedy: તમિલનાડુમાં ઝેરી દારૂથી 165 થી વધુ લોકો ગંભીર રીતે બીમાર, 50 થી વધુના મોત

11:11 PM Jun 21, 2024 | Aviraj Bagda

Kallakurichi hooch tragedy: Tamil nadu માં ઝેરી Liquor પીવાથી અનેક લોકોના મોત થઈ રહ્યા છે. આ ઘટનાને લઈને Tamil nadu માં ઘળભળાટ મચી ગયો છે. ત્યારે આ ઘટનામાં આ ઝેરી દારુ પીવાથી 47 લોકોના મોત નિપજ્યા છે. તે ઉપરાંત 100 થી વધુ લોકોની હાલત ગંભીર છે. જોકે આ ઘટનામાં મૃત્યુ આંક વધી શકે, તેવી તબીબો દ્વારા ખાતરી આપવામાં આવી છે.

  • મુખ્યમંત્રી સ્ટાલિનના રાજીનામાની માગ કરવામાં આવી

  • સારવાર હેઠળ 118 લોકોમાંથી 30 ની હાલત નાજુક છે

  • AIADMK સભ્યોએ ઝેરી Liquor ની દુર્ઘટના પર વિરોધ પ્રદર્શન કર્યું

તો ઝેરી Liquor પીવાથી મોટાભાગના લોકોને પેટમાં દૂખાવો, ઉલટી થવી અને ઝાળા-ઉલટી થઈ રહ્યા છે. તે ઉપરાંત આ ઘટના સ્ટાલિનની સરકાર પર અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે. તે ઉપરાંત વિપક્ષ દ્વારા Tamil nadu ના મુખ્યમંત્રી સ્ટાલિનના રાજીનામાની માગ કરવામાં આવી છે. જોકે આ ઘટનાને લઈ Tamil nadu સરકાર દ્વારા કડક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

સારવાર હેઠળ 118 લોકોમાંથી 30 ની હાલત નાજુક છે

તો બીજી તરફ Tamil nadu માં ઝેરી Liquor પીવાથી થયેલી બીમારીને કારણે કુલ 165 લોકોને કલ્લાકુરિચી, JIPMER, સાલેમ અને મુંડિયમબક્કમ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી અત્યાર સુધીમાં 47 લોકોના મોત થયા છે. સારવાર હેઠળ 118 લોકોમાંથી 30 ની હાલત નાજુક છે.

AIADMK સભ્યોએ ઝેરી Liquor ની દુર્ઘટના પર વિરોધ પ્રદર્શન કર્યું

Tamil nadu સરકારે ગેરકાયદેસર Liquor ના વેચાણ રોકવા માટે વિશેષ ટીમની રચના કરી છે. તે ઉપરાંત તેમને કડક કાર્યવાહી કરવાની સૂચના પાઠવી છે. મદ્રાસ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ બી ગોકુલદાસ આ ઘટનાની તપાસ માટે ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. તો ઘટના સાથે સંબંધિત રિપોર્ટ 3 મહિનામાં કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તો હાલમાં, વિપક્ષી નેતા એકે પલાનીસ્વામીના નેતૃત્વમાં AIADMK સભ્યોએ ઝેરી Liquor ની દુર્ઘટના પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો: Karauli Crime Case: રાજસ્થાનના નર્સરી ભવનમાંથી મહિલા અને માસૂમ બાળકીનો મળ્યો સળગી ગયેલો મૃતદેહ