ELECTION COMMISSION : લોકસભા ચૂંટણીના થોડા દિવસો પહેલા ચૂંટણી પંચે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેત (Supriya Shrinet )અને બીજેપી નેતા દિલીપ ઘોષને (DILIP GHOSH )નોટિસ પાઠવી છે. વાસ્તવમાં કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વાંધાજનક પોસ્ટ કરવામાં આવી હતી. જેના પર ચૂંટણી પંચે તેમને નોટિસ પાઠવી છે. આ સાથે બીજેપી નેતા દિલીપ ઘોષે પણ મમતા બેનર્જી પર ટિપ્પણી કરી હતી. જેના કારણે તેમને નોટિસ પણ મોકલવામાં આવી છે. ચૂંટણી પંચે (ELECTION COMMISSION) દિલીપ ઘોષ અને સુપ્રિયા શ્રીનેત પાસેથી 29 માર્ચ 2024ના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં જવાબ માંગ્યો છે.
ભાજપ નેતા દિલીપ ઘોષ પર શું છે આરોપ
મમતા બેનર્જી પર આપેલા નિવેદન બદલ પશ્ચિમ બંગાળના નેતા દિલીપ ઘોષને નોટિસ જારી કરવામાં આવી છે. TMC વતી, દિલીપ ઘોષ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમણે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે પશ્ચિમ બંગાળ એકમના ભૂતપૂર્વ પ્રમુખ દિલીપ ઘોષે ટીએમસીના ચૂંટણી સૂત્ર બાંગ્લા નિઝર મેકે ચાય (બંગાળને તેની પુત્રી જોઈએ છે)ની મજાક ઉડાવી છે.ટીએમસીનો આરોપ છે કે દિલીપ ઘોષે કહ્યું, જ્યારે તે મમતા બેનર્જી ગોવા જાય છે ત્યારે કહે છે કે તે ગોવાની દીકરી છે. ત્રિપુરામાં તે કહે છે કે તે ત્રિપુરાની દીકરી છે. પહેલા તેમને સ્પષ્ટતા કરવા દો.
Election Commission of India issues show cause notices to BJP MP Dilip Ghosh and Congress leader Supriya Shrinate for their remarks against West Bengal CM Mamata Banerjee and BJP's Lok Sabha candidate Kangana Ranaut respectively. pic.twitter.com/451FoJUP8I
— ANI (@ANI) March 27, 2024
કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાટેને ચૂંટણી પંચની નોટિસ
દિલીપ ઘોષ પહેલાં જ્યારે ભાજપે ગયા રવિવારે તેના ઉમેદવારોની જાહેરાત કરી હતી. ત્યારે પાર્ટીએ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને મંડીથી ટિકિટ આપી હતી. કંગના રનૌતને ટિકિટ આપવા પર કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી વાંધાજનક પોસ્ટ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેને હટાવી લેવામાં આવ્યો હતો. સુપ્રિયાએ પણ આ મામલે સ્પષ્ટતા આપતા કહ્યું કે મને આ પોસ્ટની જાણ થતાં જ મેં તેને હટાવી દીધી છે. જે લોકો મને સારી રીતે ઓળખે છે તે લોકો જાણે છે કે હું ક્યારેય કોઈ મહિલા પ્રત્યે આવી ટિપ્પણી કરી શકતો નથી. જોકે, ચૂંટણી પંચે આ મામલે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતને નોટિસ પાઠવી છે.
આ પણ વાંચો – Lok Sabha Election : પંજાબમાં AAP ને બેવડો ફટકો, સાંસદ-ધારાસભ્ય બંને BJP માં જોડાયા, શું આ છે કારણ?