Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ICC World Cup 2023 : 100થી વધુ VVIP ફાઇનલ મેચમાં આપશે હાજરી

05:02 PM Nov 18, 2023 | Vipul Pandya

ICC વર્લ્ડ કપ 2023ની ફાઇનલ રવિવારે 19 નવેમ્બર અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી આ મેચ જોવા માટે સ્ટેડિયમમાં સવા લાખથી વધુ લોકો હાજર રહેશે. સાથે જ 100 થી વધુ VVIP પણ આ ઐતિહાસિક દિવસના સાક્ષી બનશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને 8થી વધુ રાજ્યોના સીએમ આવશે

આ VVIP લોકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને 8થી વધુ રાજ્યોના સીએમ સામેલ છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન અને ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિમંડળ પણ મેચ જોવા અમદાવાદ આવશે. સુપ્રિમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અને ભૂતપૂર્વ ન્યાયાધીશો પણ મેચ જોવા સ્ટેડિયમમાં જશે. આ ઉપરાંત સિંગાપોર, અમેરિકા અને યુએઈના રાજદૂતો પણ ફાઈનલ જોવા અમદાવાદ આવશે.

કેન્દ્રીય મંત્રીઓ પણ સ્ટેડિયમ પહોંચશે

આ ઉપરાંત ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ પણ પરિવાર સાથે મેચ જોવા આવશે. આ મેચ જોવા માટે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, જ્યોતિરાદિત્ય સિંધિયા, આરબીઆઈ ગવર્નર, ગુજરાત, તમિલનાડુ અને ઘણા રાજ્યોના ધારાસભ્યો પણ અમદાવાદ જશે. તે જ સમયે, બોલિવૂડના ઘણા કલાકારો પણ સ્ટેડિયમમાં જોવા મળશે.

આ મેચ જોવા આવનાર VVIP મહેમાનોની યાદી
અનુરાગ સિંહ ઠાકુર,
જ્યોતિરાદિત્ય સિંધિયા
RBI ગવર્નર શક્તિકાંત દાસ
યુએસ એમ્બેસેડર એરિક ગેસેટ્ટી
આસામના સીએમ હિંમત બિસ્વા સરમા
ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સ
ભારતમાં ઓસ્ટ્રેલિયાના રાજદૂત ફિલિપ ગ્રીન
નીતા અંબાણી
સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને અન્ય રાજ્યની અદાલતોના ન્યાયાધીશો
યુએઈના રાજદૂત અબ્દુલનાસર જમાલ અલશાલી
મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા
યુએસએ એમ્બેસેડર એરિક ગારસેટી
સિંગાપોરના ગૃહ પ્રધાન સંગમ
લક્ષ્મી મિત્તલ

મેચ પહેલા સ્ટેડિયમને શણગારવામાં આવ્યું 

નોંધનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ માટે લગભગ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મેચ પહેલા સ્ટેડિયમને ખૂબ સજાવવામાં આવ્યું છે. તેમાં અનેક પ્રકારની લાઈટો લગાવવામાં આવી છે.

શનિવારે પણ મહેમાનોનું આગમન

બીજી તરફ શનિવારે અમદાવાદ એરપોર્ટ ખાતે VVIP લોકોનું આગમન શરુ થયું હતું જેમાં કેરાલા હાઇકોર્ટના જસ્ટિસ જીતેન્દ્ર દેસાઇ પણ આવ્યા છે. સૌરવ ગાંગુલી અને સારા તેંડુલકર પણ અમદાવાદ પહોંચ્યા છે. રવિ શાસ્ત્રીના પત્ની રીતુ સિંગ, પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકર પણ અમદાવાદ પહોંચ્યા છે.

ભારતીય ટીમ અજેય છે

ભારતીય ક્રિકેટ ટીમ આ વર્લ્ડ કપમાં હજુ સુધી એક પણ મેચ હારી નથી. લીગ મેચમાં પોતાની તમામ મેચ જીતનારી ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકાને હરાવીને સેમિફાઇનલમાં પહોંચી ગયું છે.