+

Lok Sabha Election : પંજાબમાં AAP ને બેવડો ફટકો, સાંસદ-ધારાસભ્ય બંને BJP માં જોડાયા, શું આ છે કારણ?

આગામી લોકસભા ચૂંટણી (Lok Sabha Election) પહેલા પંજાબમાં આદમ આદમી પાર્ટીને બેવડો ફટકો પડ્યો છે. જલંધરના સાંસદ સુશીલ કુમાર રિંકુ અને જલંધર પશ્ચિમના ધારાસભ્ય શીતલ અંગુરાલ BJP માં જોડાયા છે.…

આગામી લોકસભા ચૂંટણી (Lok Sabha Election) પહેલા પંજાબમાં આદમ આદમી પાર્ટીને બેવડો ફટકો પડ્યો છે. જલંધરના સાંસદ સુશીલ કુમાર રિંકુ અને જલંધર પશ્ચિમના ધારાસભ્ય શીતલ અંગુરાલ BJP માં જોડાયા છે. તેમણે દિલ્હી હેડક્વાર્ટરમાં BJP નું સભ્યપદ લીધું. પંજાબમાં BJP એકલા હાથે ચૂંટણી (Lok Sabha Election) લડશે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પણ અહીં ગઠબંધન કર્યું નથી. આમ આદમી પાર્ટી માટે પણ આ એક મોટો ફટકો છે કારણ કે પાર્ટીએ ફરીથી સુશીલ કુમાર રિંકુને જલંધર સીટ પરથી ઉમેદવાર બનાવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે AAP નેતાઓએ તેમને પાર્ટીમાંથી રોકવાની કોશિશ પણ કરી પરંતુ તેઓ રોકાયા નહીં. તેમણે 2023 ની પેટાચૂંટણીમાં જલંધર બેઠક પર 58,691 મતોના જંગી માર્જિનથી જીત મેળવી હતી.

સુશીલ કુમાર 2023 માં કોંગ્રેસમાંથી AAP માં આવ્યા હતા

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સુશીલ કુમાર રિંકુ એપ્રિલ 2023માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. દરમિયાન AAPએ તેમને જલંધર સંસદીય સીટ પર પેટાચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા હતા. હવે એવું માનવામાં આવે છે કે સુશીલ કુમાર રિંકુ BJP ની ટિકિટ પર લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) લડશે. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે પાર્ટી તેમને કઈ સીટ પરથી ઉતારી શકે છે.

આ કારણોસર BJP માં જોડાયા

BJP માં જોડાયા બાદ સુશીલ કુમાર રિંકુએ એક મોટી વાત કહી છે, તેણે કહ્યું, “એ સાચું છે કે મેં જલંધરના લોકોને જે વચનો આપ્યા હતા તે પૂરા થયા નથી કારણ કે મારી પાર્ટી (આપ)એ મને સમર્થન આપ્યું નથી. હું પીએમ નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ… અને સંઘની કાર્યશૈલીથી પ્રભાવિત છું. સુશીલ કુમાર રિંકુએ વધુમાં કહ્યું કે, “મેં આ નિર્ણય જલંધરના વિકાસ માટે લીધો છે. અમે જલંધરને આગળ લઈ જઈશું. અમે કેન્દ્ર સરકારના તમામ પ્રોજેક્ટને જલંધરમાં લાવીશું.”

રવનીત બિટ્ટુ પણ BJP માં જોડાયા

પંજાબમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો સતત BJP માં જોડાઈ રહ્યા છે. મંગળવારે જ લુધિયાણાના કોંગ્રેસના સાંસદ રવનીત બિટ્ટુ BJP માં જોડાયા હતા. બિટ્ટુ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહનો પૌત્ર છે, જેની 1995 માં ચંદીગઢમાં આત્મઘાતી હુમલામાં હત્યા કરવામાં આવી હતી.

1 જૂનના રોજ એક જ તબક્કામાં તમામ બેઠકો પર ચૂંટણી

પંજાબમાં લોકસભાની 13 બેઠકો છે અને તમામ બેઠકો પર 1 જૂને મતદાન થશે. આ વખતે લોકસભા ચૂંટણી (Lok Sabha Election)નો આ સાતમો અને છેલ્લો તબક્કો હશે. આ પછી 4 જૂને ચૂંટણી પરિણામ આવશે.

આ પણ વાંચો : Lok Sabha Election 2024 : ‘ના દૂરી હે, ના ખાઈ હે, મોદી હમારા ભાઈ હે…’, ભાજપે મુસ્લિમ મતદારો માટે બનાવ્યો માસ્ટર પ્લાન…

આ પણ વાંચો : Code of Conduct Rules : આચારસંહિતા એટલે શું? સામાન્ય લોકો માટે પણ નિર્ધારિત છે નિયમો

આ પણ વાંચો : Lok Sabha Election 2024 : વરુણ ગાંધીએ ચૂંટણી ના લડવાનું કર્યું એલાન, માતા મેનકા ગાંધી માટે કરશે પ્રચાર

Whatsapp share
facebook twitter