+

KGF ના યશની દીવાનગી બની 3 ફેન્સના મોતનું કારણ

KGF STAR YASH BIRHDAY INCIDENT : ભારતમાં સુપર સ્ટાર માટેનો પ્રેમ કોઈનાથી અજાણ્યો નથી. સાઉથના સુપર સ્ટાર રજનીકાંત હોય કે પછી બોલીવુડના બાદશાહ શાહરુખ ખાન હોય, તેમના ચાહકોનો તેમના માટેનો…

KGF STAR YASH BIRHDAY INCIDENT : ભારતમાં સુપર સ્ટાર માટેનો પ્રેમ કોઈનાથી અજાણ્યો નથી. સાઉથના સુપર સ્ટાર રજનીકાંત હોય કે પછી બોલીવુડના બાદશાહ શાહરુખ ખાન હોય, તેમના ચાહકોનો તેમના માટેનો પ્રેમ અનહદ હોય છે. પરંતુ આ પ્રેમ જ ઘણી વખત ઘાતકી બની જતો હોય છે.

વાસ્તવમાં બાબત એમ છે કે, KGF સ્ટાર YASH આજે તેમનો  38 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. પરંતુ યશનો આ જન્મદિવસ તેમના કેટલાક ફેન્સ માટે ઘાતકી પૂર્વાવ થયો છે. યશના ત્રણ ફેન્સે તેમના જન્મદિવસે પોતાના જીવ ગુમાવ્યા છે.

YASH IN KGF 2

YASH IN KGF 2

વાસ્તવમાં, જ્યારે પણ કોઈ મોટા સ્ટારનો જન્મદિવસ હોય છે, ત્યારે ચાહકો તેને શુભેચ્છા પાઠવવા માટે તેમના ગાંડપણના હદ સુધી પહોંચી જતા હોય છે. કેટલાક સેલેબ્સના પોસ્ટરો પર દૂધ ચઢાવે છે, જ્યારે કેટલાક તેમના નામની પૂજા કરે છે. લોકોએ યશ પર પણ આવો જ પ્રેમ વરસાવ્યો હતો, પરંતુ તેની સાથે એક ભયાનક અકસ્માત થયો, જેમાં 3 લોકોના મોત થયા.

KGF સ્ટાર યશના 3 ચાહકો મૃત્યુ પામ્યા

રોકિંગ સ્ટાર યશ આજે તેમનો  38 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે, તેની વચ્ચે જ તેમના 3 ફેન્સના મૃત્યુના સમાચાર તેમના જન્મદિવસ પર પ્રકાશમાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, ત્રણ ફેન્સ બેનર લગાવીને સુપરસ્ટાર યશના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા. પરંતુ આ દરમિયાન તેની સાથે એક ભયંકર અકસ્માત થયો.

બેનર લગાવતી વખતે તેઓને જોરદાર વીજ શોક લાગ્યો

ઘટના એમ છે કે બેનર લગાવતી વખતે તેઓને જોરદાર વીજ શોક લાગ્યો અને આ અકસ્માતમાં ત્રણેયના જીવ ગયા. તે જ સમયે, આ ઘટનામાં 3 લોકો ઘાયલ પણ થયા છે. આ આત્માને હચમચાવી દે તેવી ઘટના સોમવારે સવારે કર્ણાટકના ગદગ જિલ્લામાં બની હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલાની તપાસ હાથ ધરી હતી.

યશને પોલીસે કરી આ ખાસ વિનંતી 

હવે પોલીસે મૃતકોની ઓળખ 24 વર્ષીય હનુમંત હરિજન, 20 વર્ષીય નવીન ગાઝી અને 20 વર્ષીય મુરલી નાદુવિન્માણી તરીકે કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ગડગ જિલ્લાના લક્ષ્મેશ્વર તાલુકાના સુરનાગી ગામમાં રાત્રે લગભગ 1 વાગે બની હતી. આ ઘટનાની તપાસ હવે લક્ષ્મેશ્વર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી રહી છે. કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસે અભિનેતા યશને ખાસ વિનંતી કરી છે. તેમની વિનંતી છે કે અભિનેતાએ તેમના મૃત ચાહકોના પરિવારજનોની મુલાકાત લેવી જોઈએ.

3 લોકો હજી પણ ઘાયલ

આ સિવાય આ અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણ લોકોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ત્યાં તેની યોગ્ય સારવાર કરવામાં આવી રહી છે. આશા છે કે ત્રણેય જલ્દી સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફરશે. પરંતુ હવે આ સમાચારે બધાને ચોંકાવી દીધા છે. કોઈપણ કાર્ય કરતા પહેલા તેના પરિણામો વિશે એકવાર વિચારવું જોઈએ. અભિનેતા માટેના આ ચાહકોના પ્રેમે તેના જીવન પર હાવી કરી દીધી અને તેણે પોતાનો જીવ ગુમાવ્યો.

આ પણ વાંચો — શું Rashmika અને Vijay બનવા જઈ રહ્યા છે જીવનસાથી ?

Whatsapp share
facebook twitter