દિલ્હીમાં કોવિડ-19ના કેસોમાં ભારે ઉછાળો આવતા ફરી એકવખત ચિંતા પ્રસરી ગઈ છે. જેના પગલે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) શહેરમાં કોરોના વાયરસના
ફેલાવાને રોકવા માટેના પગલાં પર વિચારણા કરવા માટે 20 એપ્રિલે એક બેઠકનું આયોજન
કર્યું છે. અધિકારીઓ દ્વારા આ અંગે આ માહિતી આપવામાં આવી છે. જણાવી દઈએ કે બુધવારે
દિલ્હીમાં કોવિડના 299 નવા કેસ નોંધાયા હતા અને બે દિવસમાં 118 ટકાનો વધારો થયો છે. દિલ્હીના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં
આવેલા આંકડા મુજબ ચેપ દર 2.49 ટકા રહ્યો છે. સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ –19 ના 137 કેસ નોંધાયા હતા.