Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જમ્મુ-કાશ્મીરના પુંછમાં 4 આતંકી ઠાર..!

09:33 AM Jul 18, 2023 | Vipul Pandya
જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના પુંછમાં મંગળવારે સવારે  સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. મળી રહેલા અહેવાલ મુજબ સોમવારે મોડી રાતથી ચાલી રહેલા એન્કાઉન્ટર(encounter)માં સુરક્ષા દળો (Security forces)એ 4 આતંકીઓ (terrorists)ને ઠાર કર્યા છે. પોલીસ અને સુરક્ષા દળોના સંયુક્ત ઓપરેશન દરમિયાન 4 આતંકી માર્યા ગયા હતા.
સવારે આતંકવાદીઓનો ગોળીબાર
આ એન્કાઉન્ટર પૂંછના સિંધારા વિસ્તારમાં ચાલી રહ્યું હતું. રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યે સુરક્ષાદળોના જવાનોનો આતંકવાદીઓ સાથે સામનો થયો હતો. આ પછી ડ્રોન અને અન્ય સર્વેલન્સ સાધનોની મદદ લેવામાં આવી હતી. આતંકવાદીઓએ આજે ​​વહેલી સવારે સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો.

4 આતંકી ઠાર
જેના પર જવાબી કાર્યવાહી કરતા સેના, રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોએ આતંકીઓને ઠાર કર્યા હતા. સૈન્ય સૂત્રોનું કહેવું છે કે માર્યા ગયેલા આતંકવાદીઓએ સરહદ પારથી ઘૂસણખોરી કરી હોવાની આશંકા છે. જો કે હજુ સુધી આ આતંકીઓના મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.