દેશમાં કોરોનાની ત્રીજી
લહેર ધીમી પડી છે, અને લગાવવામાં આવેલા નિયંત્રનો ધીરે ધીરે દૂર કરવામાં આવી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે ગુરુવારે વિદેશથી આવતા પ્રવાસીઓ માટે પણ નિયમો હળવા કર્યા છે, જેમના માટે નવી ગાઈડ લાઇન જાહેર કરવામાં
આવી છે, જેમાં ફરજિયાત 7 દિવસ હોમ ક્વોરન્ટાઈન અને ત્યાર બાદ આઠમા દિવસે
RT-PCR ટેસ્ટ
કરવો જે ફરજિયાત હતો તેમણે દૂર કરવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય મુસાફરી દ્વારા એરપોર્ટ
પર આવતા તમામ મુસાફરોમાં, કુલ મુસાફરોના
બે ટકા કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવશે. ટ્વિટર પર આ ગાઈડલાઇન જાહેર કરી છે, અને તેમની અમલવારી અંગે જણાવતા કહ્યું
છે કે, આ ગાઇડલાઇનની અમલવારી 14 ફેબ્રુઆરીએથી કરવામાં આવશે.