Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Korowai tribe: એવા પણ આદિવાસીઓ છે જે સ્વજનોના મૃતદેહનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે

09:35 PM Jul 02, 2024 | Aviraj Bagda

Korowai tribe: ઉલ્લેખનીય છે કે, Tribal સમુદાયના લોકોનું જીવન સામાન્ય માણસ કરતા અલગ હોય છે. તેમાં પણ ખાસ કરીને આફ્રિકાના આદિવાસી નાગરિકોનું જીવન તદ્દન વિભિન્ન હોય છે. ત્યારે Papua New Guinea માં રહેતા Tribal લોકો તેમના પરિજનોના નિધન પર એક અનોખી પરંપરાનું અનુકરણ કરે છે. અહીંયાના લોકો પોતાના સ્વજનોના શરીરને ખાઈ જાય છે. જેને તેઓ ખુબ જ પ્રેમ કરે છે.

  • અંતિમ સંસ્કારની વિધિમાં મૃતદેહનો ખોરાક તરીકે ઉપયોગ કરે

  • મહિલાના મૃચદેહને માત્ર પરિવારની મહિલાઓ જ ખાઈ શકે છે

  • આ બીમારી ધીમે-ધીમે અન્ય લોકોમાં ફેલાવા લાગી હતી

જોકે તમે કોઈ દિવસ એવું નહીં સાંભળ્યું હોય કે, કોઈ વ્યક્તિ તેના પરિવારના સભ્યોના અંગોને ખાઈ ગયો હોય. તો ત્યારે આ Tribal પ્રજાતિને Korowai નામથી સંબોધવામાં આવે છે. પરંતુ Papua New Guinea માં રહેતા Tribal નાગરિકો પોતાના પરિવાર જનોના નિધન બાદ થતા અંતિમ સંસ્કારની પરંપરામાં લાશનો મોટાભાગનો હિસ્સો અન્ય પરિવારના સભ્યો ખાઈ જાય છે. માત્ર તેઓ એક જ શરીરના ભાગને છોડે છે. જે ખાવામાં એકદમ કડવું હોઈ છે.

એક ભાગ છોડીને સંપૂર્ણ શરીરને ખાઈ જાય છે

ત્યારે ફોર Tribal સમુદાયએ 1960 ના દશકમાં આ પરંપરાનું પાલન કરવાનું શરુ કર્યું હતું. તો તેઓ પોતાના પરિવારજનોને તેમના નિધન પર સળગાવવા કે દફનાવવાની જગ્યાએ અંતિમ સંસ્કારના ભાગરૂપે તેમને શરીરનો એક ભાગ છોડીને સંપૂર્ણ શરીરનું ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તેમનું માનવું એવું છે કે, સ્વજનોને જમીન દફન કરવાથી જીવજંતુઓ તેમને ધીરે-ધીરે ખાઈ જશે. અને સળગાવવાથી તેમના શરીરને અસંખ્ય પીડા અથવા વૃક્ષોનું નિકંદન કરવું પડશે. તેના કરતા ઉત્તમ છે કે, પરિવારના સ્વજનોનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે.

મહિલાના મૃચદેહને માત્ર પરિવારની મહિલાઓ જ ખાઈ શકે છે

તો Korowai સમુદાયના Tribal નાગરિકો તેમના સ્વજનોના શરીરમાંથી માત્ર એક અંગ સિવાય બધા અંગોનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જે અંગનો ત્યાગ કરવામાં આવે છે તે, અંગ શરીરમાં આવેલી પિત્તની થેલી અને ગોલબ્લૈડર એટલુ કડવું હોય છે. કોઈ પણ નરભક્ષી Tribal તેને ખાઈ શકતો નથી. તો જો કોઈ મહિલાની મોત થાય તો તેના શરીરને માત્ર તેના ઘરની મહિલાઓ જ ખાઈ શકે છે. તો અનેક વૈજ્ઞાનિકો Korowai સમુદાયના Tribal ઓને માનસિક રીતે બીમાર દર્શાવે છે.

આ બીમારી ધીમે-ધીમે અન્ય લોકોમાં ફેલાવા લાગી હતી

વૈજ્ઞાનિકો એવું માને છે કે, Korowai સમુદાયના Tribal માનસિક રીતે બીમાર છે. તેઓ એક કુરૂ નામની માનસિક રીતે પીડિત છે. વૈજ્ઞાનિકોનું કહેવું એવું છે કે, Korowai સમુદાયના Tribal માં કોઈ એક વ્યક્તિને એવું ઈન્ફેક્શન થયું હશે. જેમાં ઈન્ફેક્શનને કારણે તે વ્યક્તિના મગજને ખાવાની શરુઆત કરી હશે. ત્યારબાદ આ બીમારી ધીમે-ધીમે અન્ય લોકોમાં ફેલાવા લાગી હતી.

આ પણ વાંચો: Nepal Buddha Boy: નેપાળના બુદ્ધ બોયને યૌન શોષણ કરવા બદલ 10 વર્ષની સજા ફટકારવામાં આવી