- શ્રીલંકા સામેની T20 અને ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
- હાર્દિક પંડ્યાને ટી-20 શ્રેણીની કમાન સોંપવામાં આવી
- રોહિત શર્મા વનડે શ્રેણીમાં ટીમની કમાન સંભાળશે
શ્રીલંકા સામેની T20 અને ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઈ દ્વારા મંગળવારે મોડી રાત્રે આની જાહેરાત કરવામાં આવી છે. હાર્દિક પંડ્યાને ટી-20 સિરીઝ માટે ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે રોહિત શર્મા વનડે સિરીઝમાં ટીમનું નેતૃત્વ કરશે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલને ટી-20 શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે.
T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયા
હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમાર
તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશ પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓને ટી-20 શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે. કેપ્ટન રોહિત શર્મા હજુ અંગૂઠાની ઈજામાંથી સાજો થયો નથી, તેથી તે સીધો જ ODI શ્રેણીમાં વાપસી કરશે. આ સિવાય વિરાટ કોહલીને બ્રેક મળ્યો છે, જ્યારે કેએલ રાહુલે પણ લગ્ન માટે બ્રેક લીધો છે.
વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ
ભારતનો શ્રીલંકા પ્રવાસ
- 1લી T20: 3 જાન્યુઆરી, મુંબઈ
- બીજી T20: 5 જાન્યુઆરી, પુણે
- ત્રીજી T20: 7 જાન્યુઆરી, રાજકોટ
- પહેલી ODI: 10 જાન્યુઆરી, ગુવાહાટી
- બીજી ODI: 12 જાન્યુઆરી, કોલકાતા
- ત્રીજી ODI: 15 જાન્યુઆરી, તિરુવનંતપુરમ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.