Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, શિખર ધવન કમાન સંભાળશે, રવિન્દ્ર જાડેજા વાઇસ કેપ્ટન

11:54 PM Apr 28, 2023 | Vipul Pandya

વેસ્ટ ઈન્ડિઝ
પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવાસ માટે શિખર ધવનને ટીમ
ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે
, જ્યારે રવિન્દ્ર
જાડેજાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડમાં યોજાનારી
T20 અને ODI શ્રેણી બાદ ભારતે વેસ્ટ ઈન્ડિઝના
પ્રવાસે જવાની છે
, જ્યાં ત્રણ ODI રમાવાની છે.

 https://twitter.com/BCCI/status/1544622004799946752

BCCI દ્વારા બુધવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રોહિત
શર્મા
, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત, જસપ્રિત બુમરાહ જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

 

વેસ્ટ ઈન્ડિઝ
સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાઃ

શિખર ધવન
(કેપ્ટન)
, રવીન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન),
ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકેટ), સંજુ સેમસન
(વિકેટકીન)
, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અવેશ ખાન, ફેમસ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ