+

INDIA-UAE: Abu dhabi માં Ahlan Modi કાર્યક્રમમાં PM Modi એ UAE ના રાષ્ટ્રપતિના કર્યા વખાણ

INDIA-UAE: તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) UAE ના પ્રવાસે છે. ત્યારે Abu Dhabi માં તેઓ 14 ફેબ્રુઆરીના રોજ  BAPS ના ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે સંતો મહંતો…

INDIA-UAE: તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) UAE ના પ્રવાસે છે. ત્યારે Abu Dhabi માં તેઓ 14 ફેબ્રુઆરીના રોજ  BAPS ના ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે સંતો મહંતો દ્વારા વડાપ્રધાન (PM Narendra Modi) ને આમંત્રણ આપવામાં આવ્યું છે.

  • Ahlan Modi કાર્યક્રમમાં PM Modi નું નિવેદન
  • તમે જ્યાં આંગળી મૂકે તે જમીન તમારી
  • INDIA-UAE મિત્રતા અમર રહે

Alhan Modi કાર્યક્રમમાં PM Modi નું નિવેદન

ત્યારે આજરોજ UAE માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) નો Ahlan Modi કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, ભારતને અહીંના ભારતીય લોકો પર ગર્વ છે અને બંને દેશો વચ્ચેની મિત્રતાની પ્રશંસા કરવાનો સમય આવી ગયો છે. વડાપ્રધાન (PM Narendra Modi) દ્વારા તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

તમે જ્યાં આંગળી મૂકે તે જમીન તમારી

પીએમ મોદીએ રાષ્ટ્રપતિ નાહયાન સાથે સંબંધિત એક કિસ્સો પણ સંભળાવ્યો. તેમણે કહ્યું કે 2015માં જ્યારે તેમની સામે મંદિરનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો ત્યારે તેમણે એક મિનિટ પણ ન બગાડી, તેમણે કહ્યું કે તમે UAE માં જ્યા આંગળી મૂકશો, ત્યાં હું તમને મંદિર બનાવવા માટે જમીન ફાળવી આપીશ. INDIA-UAE મિત્રતા જમીન પર એટલી જ મજબૂત છે જેટલી તે અંતરિક્ષમાં પણ છે.

INDIA-UAE મિત્રતા અમર રહે

PM Modi એ કહ્યું કે, આટલી મોટી સંખ્યામાં અહીં આવીને તમે ઈતિહાસ રચ્યો છે. બંને દેશોના રાષ્ટ્રગીત સાથે શરૂ થયેલા કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે INDIA અને UAE ની મિત્રતાની પ્રશંસા કરવાનો આ સમય છે. આ ઐતિહાસિક સ્ટેડિયમમાં દરેક હૃદયના ધબકારા એક જ ભાવનાને પ્રતિબિંબિત કરે છે – INDIA-UAE મિત્રતા અમર રહે.

આ પણ વાંચો: Ahlan Modi Event: UAE ના અબુ ધાબીના ઝાયેદ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં PM Modi ના નારા ગુુંજ્યા

Whatsapp share
facebook twitter