+

સવારમાં કુમાર વિશ્વાસ અને બપોરે અલકા લાંબાના ઘરે પહોંચી પંજાબ પોલીસ, બંનેએ કેજરીવાલ પર નિશાન સાધ્યું

એક સમયે અરવિંદ કેજરીવાલના નજીકના ગણાતા પ્રસિદ્ધ કવિ કુમાર વિશ્વાસ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. તેમના વિરુદ્ધ પંજાબ પોલીસ દ્વારા એક એફઆઇઆર નોંધવામાં આવી છે. આ સિવાય આજે સવારે પંજાબ પોલીસ કુમાર વિશ્વાસના ઘરે પહોંચી હતી. કુમાર વિશ્વાસે પણ ટ્વીટ કરીને કહ્યું કે પંજાબ પોલીસ વહેલી સવારે મારા દરવાજે આવી છે. વિશ્વાસે પંજાબના સીએમ ભગવંત માન પર પણ નિશાન સાધ્યું હતું. ત્યારે હવે સામે આવ્
એક સમયે અરવિંદ કેજરીવાલના નજીકના ગણાતા પ્રસિદ્ધ કવિ કુમાર વિશ્વાસ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. તેમના વિરુદ્ધ પંજાબ પોલીસ દ્વારા એક એફઆઇઆર નોંધવામાં આવી છે. આ સિવાય આજે સવારે પંજાબ પોલીસ કુમાર વિશ્વાસના ઘરે પહોંચી હતી. કુમાર વિશ્વાસે પણ ટ્વીટ કરીને કહ્યું કે પંજાબ પોલીસ વહેલી સવારે મારા દરવાજે આવી છે. વિશ્વાસે પંજાબના સીએમ ભગવંત માન પર પણ નિશાન સાધ્યું હતું. ત્યારે હવે સામે આવ્યું છે કે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ પંજાબમાં કુમાર વિશ્વાસ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. 
ભડકાઉ ભાષણ આપવાનો આરોપ
પંજાબ પોલીસ દ્વારા કુમાર વિશ્વાસ વિરુદ્ધ IPCની કલમ 153,505,323,341,506,120B હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પંજાબના રોપર જિલ્લાના સદર પોલીસ સ્ટેશનમાં પૂર્વ નેતા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ કલમ 153 ‘જાહેર શાંતિ’ને ઈરાદાપૂર્વક ખલેલ પહોંચાડવા માટે લાગુ કરવામાં આવી છે. બુધવારે પંજાબ પોલીસ આ કેસને લઈને કુમાર વિશ્વાસના ઘરે પહોંચી હતી. ઈન્સ્પેક્ટર સુમિત મોરેની સાથે તેઓએ વિશ્વાસને તપાસમાં જોડાવા માટે નોટિસ ફટકારી છે.
કેવી રીતે શરૂ થયો સમગ્ર વિવાદ
કુમાર વિશ્વાસે પંજાબમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલો પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. કુમાર વિશ્વાસે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી અને તેના કન્વીનર અરવિંદ કેજરીવાલના અલગતાવાદી તત્વો અને ખાલિસ્તાન તરફી લોકો સાથે સંબંધ છે. પંજાબના રોપર સદર પોલીસ સ્ટેશનમાં 12 એપ્રિલે આ સંબંધમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કેજરીવાલ આમ આદમી પાર્ટીના સમર્થકો સાથે ગ્રામજનોને મળી રહ્યા હતા, ત્યારે માસ્ક પહેરેલા કેટલાક લોકોએ તેમને રોક્યા અને ખાલિસ્તાની કહ્યા હતા. ફરિયાદ અનુસાર કુમાર વિશ્વાસે નિવેદન આપ્યા બાદ આ ઘટનાઓ શરૂ થઈ હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે કુમાર વિશ્વાસના આ નિવેદનો અને વીડિયો પંજાબના શાંતિપૂર્ણ વાતાવરણને બગાડી શકે છે.

કુમાર વિશ્વાસે ટ્વિટમાં શું કહ્યું?
જ્યારે પંજાબ પોલીસ કુમાર વિશ્વાસના ઘરે પહોંચી તો તેણે ટ્વીટ કરીને કહ્યું, ‘વહેલી સવારે પંજાબ પોલીસ દરવાજા પર આવી ગઈ છે. એક સમયે મારા દ્વારા પાર્ટીમાં સામેલ કરાયેલા ભગવંત માનને હું ચેતવણી આપું છું કે દિલ્હીમાં બેઠેલો માણસને તમે પંજાબની જનતાએ તમને આપેલી સત્તા સાથે રમવા દો છો, એક દિવસ તે તમને અને પંજાબને પણ છેતરશે. દેશે મારી ચેતવણી યાદ રાખવી જોઈએ.
અલકા લાંબાના ઘરે પણ પંજાબ પોલીસ પહોંચી
પંજાબ પોલીસ બુધવારે સવારથી જ એક્શન મોડમાં છે. AAPના પૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસ બાદ પંજાબ પોલીસ AAPના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા અલકા લાંબાના ઘરે પહોંચી હતી. ખુદ અલકા લાંબાએ પોતાના ટ્વિટર દ્વારા આ માહિતી આપી હતી. તેણે લખ્યું, પંજાબ પોલીસ મારા ઘરે પહોંચી ગઈ છે. આ પહેલા જ્યારે પંજાબ પોલીસ કુમાર વિશ્વાસના ઘરે પહોંચી હતી ત્યારે અલકાએ ટ્વીટમાં લખ્યું હતું કે, હવે મને સમજાયું કે તમને પોલીસની કેમ જરૂર છે.અલકાએ ટ્વીટમાં લખ્યું હતું કે, ‘હવે તમારે સમજવું પડશે કે તમે પોલીસને શા માટે ઇચ્છતા હતા. જેવી રીતે ભાજપ તમારા વિરોધીઓને ડરાવવા અને તેમનો અવાજ દબાવવા માટે. થોડી શરમ રાખો કેજરીવાલ જી.
Whatsapp share
facebook twitter