Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જમીનનું ધોવાણ રોકવા ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે મેન્ગ્રેુવ રોપાના વાવેતરનો શુભારંભ 

03:27 PM Jun 05, 2023 | Vipul Pandya
અહેવાલ—-ઉદય જાદવ, સુરત
આજે ૫મી જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી મેન્ગ્રેુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટ્સ એન્ડ ટેન્જિબલ ઇનક્સ (MISHTI) કાર્યક્રમનો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. જેનુ જીવંત પ્રસારણ કરાયુ હતું.જે અંતર્ગત ગુજરાતના જિલ્લાઓની અંદાજિત ૨૫ સાઇટ્સ સહિત સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દાંડી ગામે  ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મેન્ગ્રુવ (ચેર)નું વાવેતર કરી પ્રારંભ કરાવ્યો હતો.
દરિયાકાંઠાના ધોવાણ અટકાવવા માટે મેન્ગુઝએ કલ્પ વૃક્ષ
 કાર્યક્રમમાં મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પર્યાવરણના જતનમાં મેન્ગ્રેવ (ચેર)ની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. દરિયાકાંઠાના ધોવાણ અટકાવવા માટે મેન્ગુઝએ કલ્પ વૃક્ષ છે. મેન્ગ્રેવના વાવેતરથી દરિયાઈ જીવોને ખોરાક મળી રહે છે તેમ જણાવીને આજે બે હેકટર વિસ્તારમાં મેન્ગુઝના વાવેતરની શરૂઆત કરવામાં આવી છે જે આગામી એક વર્ષ દરમિયાન સુરત વન વિભાગ દ્વારા ૨૦૦ હેકટરમાં ૨ લાખના મેન્ગુઝના વૃક્ષોનુ વાવેતર કરવામાં આવશે. જેનાથી કાંઠા વિસ્તારને મોટો ફાયદો થશે.કેન્દ્ર સરકારે મેન્ગ્રેવના વાવેતર માટેના કાર્યક્રમ MISHTI ની શરુઆત કરી છે.

ખારાશવાળા સખત દરિયાઈ પવનોને મેન્ગ્રેવ આગળ વધતા અટકાવે છે
દરિયાઈ વિસ્તારમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિ ધરાવતું મેન્ગ્રેવ(ચેર) અગત્યનો સ્ત્રોત છે.દરિયાની ભરતીના મોજાથી કાંઠા વિસ્તારનું ધોવાણ અટકાવે છે.મેન્ગ્રેવના મૂળ જમીનના ધોવાણથી આવેલા કાંપને અસરકારક રીતે પકડીને ફિલ્ટરનું કામ કરે છે. ખારાશવાળા સખત દરિયાઈ પવનોને મેન્ગ્રેવ આગળ વધતા અટકાવે છે. મેન્ગ્રેવ મોટા જથ્થામાં પાંદડા ઉત્પન્ન કરે છે. જેમાંથી ઉત્પન્ન થતો સેન્દ્રિય – બાયોમાસ દરિયાઈ જીવો માટે ખોરાક તરીકે કામ આવે છે. મેગ્રુવના વૃક્ષો વિવિધ પ્રકારના પક્ષીઓને રહેઠાણ તેમજ સંવર્ધન અને આશ્રયસ્થાન પુરૂં ૨ પાડે છે. મેન્ગ્રેવ સ્થાનિક હવામાન સુધારે છે.
વનસમિતિઓને ચેકનુ વિતરણ
વાંસ સુધારણા યોજના હેઠળ વાંસના ઉત્પાદનમાંથી વનસમિતિઓને ચેકનુ વિતરણ કરાયુ હતું. જેમાં રખસડી ગામને ૮.૩૬ લાખ, ધાણાવડને રૂ.૮.૦૩ લાખ, મહુડીને ૨.૫૨ લાખ, બોરીયાને રૂ.૨.૪૪ લાખ, અમરકુઈને રૂ.૧.૫૪ લાખ, માંડણ ઉમલ્લાને રૂ. ૧.૫૧ લાખ, દિવતણને ૧.૩૩ લાખ મળી કુલ સાત ગામની વનસમિતિઓને ૨૫.૭૪ લાખના ચેકોનુ મંત્રીના હસ્તે વિતરણ કરાયું હતું,યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ,જિલ્લા કલેક્ટર બી. કે. વસાવા, મુખ્ય વન સંરક્ષક સુરત વર્તુળના વડા ડો. કે. શશીકુમાર, નાયબ વન સંરક્ષક સચીન ગુપ્તા, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ, વનવિભાગના અધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.