+

KHAMBHALIA માં મકાન ધરાશાઈ થતા ત્રણ લોકોએ ગુમાવ્યો જીવ

KHAMBHALIA માં જર્જરિત બહુમાળી મકાન પડી જતા દટાયેલા ત્રણેય લોકોના મોત NDRF અને સ્થાનિક પ્રશાસને ત્રણ કલાકની મહેનત બાદ આખરે ત્રણેય લોકોને બહાર કાઢ્યા ત્રણેય લોકોને હોસ્પિટલ લઈ જવાયા જ્યાં…
  • KHAMBHALIA માં જર્જરિત બહુમાળી મકાન પડી જતા દટાયેલા ત્રણેય લોકોના મોત
  • NDRF અને સ્થાનિક પ્રશાસને ત્રણ કલાકની મહેનત બાદ આખરે ત્રણેય લોકોને બહાર કાઢ્યા
  • ત્રણેય લોકોને હોસ્પિટલ લઈ જવાયા જ્યાં ફરજ પરના તબીબે ત્રણેયને મૃતક જાહેર કર્યા

KHAMBHALIA માંથી હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે.ખંભાળિયામાં જર્જરિત બહુમાળી મકાન પડી જવાની ઘટના સામે આવી છે.આ બહુમાળી મકાન ધરાશાઈ થઈ જતાં ઘટનામાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.આ જર્જરિત બહુમાળી મકાન પડી જતા તરત જ સ્થાનિક લોકોએ તરત જ NDRF અને સ્થાનિક પ્રશાસનને જાણ કરી હતી.જેના બાદ મકાનના કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. દટાઈ ગયેલા ત્રણ લોકોને બહાર કાઢ્યા બાદ તેમણે હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના

ત્રણ લોકોએ ગુમાવ્યા જીવ

ખંભાળિયામાં મકાન ધરાશાઈ થઈ જવાની ઘટના બનતા તે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની હતી.મકાન ધરાશાઈ થતાંની સાથે જ તરત બચાવ ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો.NDRF અને સ્થાનિક પ્રશાસને તરત જ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા બાદ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. મકાનના કાટમાળ નીચે દબાઈ ગયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તરત જ ત્રણેય લોકોને તાત્કાલીક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયા હોવાના કારણે ત્રણેય લોકોને તબીબોએ મૃત જાહેર કર્યા હતા.આ ઘટના બન્યા બાદ સમગ્ર ખંભાળિયા શહેરમાં ઘેરો શોક જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : Rain : છેલ્લા 2 કલાકમાં 120 તાલુકામાં મેઘરાજાની જોરદાર બેટિંગ

Whatsapp share
facebook twitter