Godhra News: Godhra ના પોલીસ મુખ્ય મથકમાં યોજાયેલ વિવિધ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આવ્યા હતા. તેમણે પોલીસ પરેડ ગ્રાઉન્ડ godhraથી નવ નિર્મિત પોલીસ રહેણાંક આવાસ અને આર પી આઈ બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં પંચમહાલના સાંસદ, Godhra, મોરવા હડફ, હાલોલ કાલોલ ના ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને તેઓનો પરિવાર ઉપસ્થિત રહ્યો.
મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે માનનીય ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતીમાં અંદાજિત રૂ.૧૦ર૪.૯૪ લાખના ખર્ચે તૈયાર થયેલ પોલીસ આવાસો કક્ષા બી-પ૬ તથા ડી-૦ર આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું.@CMOGuj
@dgpgujarat
@GujaratPolice
@sanghaviharsh
@Harsh_Office pic.twitter.com/KE8J1IllQY— SP Mahisagar (@SP_Mahisagar) December 30, 2023
પંચમહાલ જિલ્લા પોલીસ વિભાગના કર્મચારીઓને કામગીરીમાં વધુ સુગમતા મળે તેવા આશયથી પોલીસ જવાનો માટે નવીન રહેણાક આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પોલીસ પરિવારોને ગૃહ પ્રવેશ પણ કરવામાં આવ્યો હતો. જ્યારે Godhra News માં ઉપસ્થિત રહેલા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જામનગરમાં કુખ્યાત રઝાક સાઇચા બંગલો તોડી પાડવામાં આવ્યો છે તે અંગે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, એમાં કહેવાનું ના હોય કરવાનું હોય તેવું નિવેદન આપ્યું હતું.
Godhra News માં આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ 380 અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ ઉપરાંત આવનાર સમયમાં પંચમહાલ જિલ્લા માટે નવીન 40 એસટી બસો ફાળવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પંચમહાલ ની મુલાકાતે આવેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પંચમહાલ પોલીસની કામગીરીની પ્રસંશા કરી હતી. જિલ્લાના નાગરિકોની ચોરી થયેલ દરેક ચીજ વસ્તુઓ પાછી આપવા બદ્દલ પંચમહાલ જિલ્લા એસપી અને તેમની ટીમને ગૃહ મંત્રીએ અભિનંદન આપ્યા હતા.
આ પણ વાંચો: Amreli : સાંસદ નારણ કાછડીયા સામે જમીનોને બિન ખેતી કરવાના કૌંભાડનો આરોપ