દ્વારકાના ભંડારીયામાં શાળાના બાંધકામમાં પોલંપોલ હોવાનું રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાની જાત તપાસમાં બહાર આવ્યું છે. ભંડારીયામાં શાળાની લીધેલી મુલાકાતમાં ખુલ્લો ભ્રષ્ટાચાર જોવા મળતાં શિક્ષણ મંત્રીએ કોલમ બીમ તોડીને નવું બાંધકામ કરવા આદેશ આપ્યા છે. શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ દ્વારકાના ભંડારિયામાં નિર્માણાધીન શાળાના બાંધકામમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખોલી છે. તેમણે જ્યારે શાળાની મુલાકાત લીધી ત્યારે તેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : Gujarat High Court : પોલીસના તોડકાંડના કેસમાં હાઈકોર્ટની ફટકાર