Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad Crime Branch: નરાધમ પ્રેમી સગીર પ્રેમિકાને બહેન બતાવી ઘરમાં પૂરી રાખતો

11:20 PM Jun 18, 2024 | Aviraj Bagda

Ahmedabad Crime Branch: કહેવાય છે ને કે Police ચાહે તો ભલભલા ગુનાઓ ઉકેલી શકે છે. અમદાવાદમાંથી 1 વર્ષ પહેલા ગુમ થયેલી સગીરા અને તેને પ્રેમ જાળમાં ફસાવી ભગાડી લઈ ગયો હતો. તો તાજેતરમાં અંકલેશ્વર Police એક યુવક 10 સગીરાને પોતાની પત્ની તરીકે રાખતો હોવાની માહિતી મળતા. આ યુવક અને સગીરાને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આવી હતી.

  • માહિતીના આધારે Police ગુપ્ત રીતે અંકુરને શોધી કાઢ્યો

  • સવારે અંકુર કિશોરીને ઘરમાં પુરીને નોકરી જતો હતો

  • Police પણ શું કાર્યવાહી કરે છે તે પણ એક પ્રશ્ન

અમદાવાદના કૃષ્ણનગરમાંથી ઘર આંગણે રમતી ફરિયાદીની સગીરા તા. 26 જૂન 2023 ના રોજ 10 વર્ષની સગીરા રહસ્યમય રીતે ગુમ થઇ ગઈ હતી. જોકે તે સમયે તેમના ઘરની સામેની બાર્બર શોપમાં નોકરી કરતો અંકુર શર્મા (21) નામનો યુવક પણ ગુમ થઈ ગયો હતો. આ અંગે સગીરાના માતા-પિતાએ કૃષ્ણનગર Police સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં અંકુર શર્મા તેમની દીકરીને પ્રેમ જાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને ભગાડી લઈ ગયો હોવાની શંકા વ્યકત કરી હતી.

માહિતીના આધારે Police ગુપ્ત રીતે અંકુરને શોધી કાઢ્યો

જોકે કિશોરી કે અંકુરની કોઈ ભાળ નહીં મળતા આ કેસની તપાસ એન્ટી Human Traffic Unit ને સોંપવામાં આવી હતી. પરંતુ તે પણ કિશોરીને શોધી નહીં શકતા High Court માં Habier’s Coppers કરવામાં આવી હતી. જેના આધારે તપાસ Crime Branch ને સોંપવામાં આવી હતી. ત્યારે માહિતીના આધારે Police ગુપ્ત રીતે અંકુરને શોધી કાઠવામાં આવ્યો હતો. જેથી તેના ઉપર એક અઠવાડિયા સુધી વોચ ગોઠવીને તેને પકડી લીધો હતો. જ્યારે તેની પૂછપરછ કરતા કિશોરી તેના ઘરે જ હોવાનું જણાવતા Police તેને લઈને ઘરે પહોંચી હતી. ત્યાંથી કિશોરી પણ મળી આવતા Police બંનેને લઈને અમદાવાદ રવાના થઈ હતી.

Ahmedabad Crime Branch

સવારે અંકુર કિશોરીને ઘરમાં પુરીને નોકરી જતો હતો

અમદાવાદની Crime Branch એ અઠવાડિયું અંકલેશ્વર જીઆઇડીસીમાં ધામા નાખી નગરપાલિકાના દવા છાંટવાના અધિકારી અને કર્મચારી બનવા સાથે અનેક વેશ ધારણ કરી દવા છાંટવાના બહાને તેમજ બરફ ખરીદવાના બહાને Police ફેકટરીમાં જતી હતી. જોકે સવારે અંકુર કિશોરીને ઘરમાં પુરીને નોકરી જતો હતો. તપાસમાં સગીરાના માથે સિંદૂર અને મંગળસૂત્ર પણ લગાવતી હતી. ફેક્ટરીના સંચાલકો જ્યારે પણ પૂછતાં ત્યારે અંકુર શર્મા કહેતો કે આ મારી બહેન છે.

Police પણ શું કાર્યવાહી કરે છે તે પણ એક પ્રશ્ન

અત્રે ઉલ્લેખનીય બાબતે એ છે કે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક હબ માનવામાં આવે છે. અનેક રાજ્યોમાંથી રોજગારી અર્થે આવતા હોય છે. પરંતુ તેમની ઓળખ કે અન્ય પુરાવા પણ ઘણી ફેક્ટરીના સંચાલકો લેતા નથી. જેના કારણે આવા ગુનાઓ સામે આવતા હોય છે. અંકલેશ્વરની ફેક્ટરીમાંથી આવેલી ઘટના બાદ જો સગીરાને ભગાડી અને ખોલીમાં સંતાયો હોય તો ફેક્ટરી સંચાલકો સામે પણ ગંભીર પ્રકારનો ગુનો બને છે. તેને ખોલી રહેવા આપી હોય તો તેના પૂરતા પુરાવા કેમ ન લીધા. તેનો ગુનાહિત ઇતિહાસ કેમ ન તપાસવું? હાલ તો આ સમગ્ર મામલે સ્થાનિક Police પણ શું કાર્યવાહી કરે છે તે પણ એક પ્રશ્ન ઉભો થયો છે

આ પણ વાંચો: SURAT : હત્યા કેસમાં PI અલ્પેશ ગાબાણીનો કોર્ટે બરોબરનો ઉધડો લીધો! વાંચો અહેવાલ