Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Banaskantha Lok Sabha ELection: C R Patil એ જનમેદની સામે કોંગ્રેસની ગેરનિતીઓ ગણાવી

05:21 PM Apr 27, 2024 | Aviraj Bagda

Banaskantha Lok Sabha ELection: લોકસભાની ચૂંટણી (Lok Sabha ELection) ની લઈને કોંગ્રેસ (Congress) અને ભાજપ (BJP) ના નેતાઓ જંગીસભાઓ અને પ્રચાર કરીને મતદારોને પોતાની તરફ આકર્ષિત કરવા એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આજે બનાસકાંઠા (Banaskantha) ના દિયોદર તાલુકાના જાડા ગામે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ (C R Patil) ની અધ્યક્ષતામાં બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર (BJP Lok Sabha Candidate) રેખાબેન ચૌધરીના સમર્થન માટે જાહેર સભાનું આયોજન કરાયું હતું.

  • બનાસકાંઠાના દિયોદરમાં ભાજપ પ્રદેશ પ્રમુખનો હુંકાર

  • ભાજપ પ્રદેશ પ્રમુખના કોંગ્રેસ પર આકરા પ્રહારો

  • મોદી સાહેબ રૂ. 1 મોકલે અને એ દરેક લોકોને મળે છે

આ જનસભામાં ભાજપના ઉમેદવાર (BJP Lok Sabha Candidate) રેખાબેન ચૌધરી, તેમજ BJP ના અનેક નેતાઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે Congress ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી (PM Modi) એ આપણું ગૌરવ છે. જો હજુ વધુ સમૃદ્ધ થવું હશે, તો BJP ને વોટ આપવા પડશે. હું રાજકારણમાં કોઈ સતા ભોગવવા નથી આવ્યો પણ તમારી સેવા કરવા માટે આવ્યો છું. કોઈ Congress હોય તો એને ઊંધમાંથી ઉઠાડીને પૂછજો કે પ્રધાનમંત્રી કોણ બનશે તો એ પણ કહેશે નરેન્દ્ર મોદી થાશે. એટલે આ વખતે ત્રીજી વખત મોદી સાહેબને પ્રધાનમંત્રી (PM Modi) બનાવવા રેખાબેનને જીતાડો.

Banaskantha Lok Sabha ELection

આ પણ વાંચો: VADODARA : રવિવારે “તમારા મતદાન મથકને જાણો” અભિયાન યોજાશે

ભાજપ પ્રદેશ પ્રમુખના કોંગ્રેસ પર આકરા પ્રહારો

BJP પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે (C R Patil) જંગીસભાને સંબોધન કરતા Congress પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, સેમ પિત્રોડાએ એવું કહ્યું કે આ દેશમાં લોકો જે કમાય છે. તેની બચત કરે છે તેની બચતમાંથી અડધા પૈસા ઘૂસ પેઠિયાઓને અન્યને આપી દેવા, તમારા પૈસા બાંગ્લાદેશમાંથી આવેલો કોઈ ઘૂસ પેઠીયો લઈ જાય કોઈ અન્ય કઈ જાય એ તમને મંજૂર છે. મોની બાબા મનમોહનસિંહ બોલ્યા કે આ દેશની સંપત્તિ ઉપર પહેલો અધિકાર મુસલમાનો છે.

આ પણ વાંચો: VADODARA : ઓનલાઇન ગેમ થકી મળેલ યુવક સિવાય યુવતિએ કંઇ ન વિચાર્યું

Banaskantha Lok Sabha ELection

મોદી સાહેબ રૂ. 1 મોકલે અને એ દરેક લોકોને મળે છે

તેમણે વધુમાં જણાવ્યું કે, રાજીવ ગાંધીએ જાહેરમાં કહ્યું હતું કે હું 1 રૂપિયો મોકલું અને 10 પૈસા મળે છે. તો કોણ વચ્ચે પૈસા ખાતું હતું, એ કોંગ્રેસીયા હતા. આજે મોદી સાહેબ 1 રૂપિયો મોકલે અને એ દરેક લોકોને મળે છે. કોઈ વચેટિયો નથી ખાઈ શકતો ,મોદી સાહેબે મહિલાઓ આગળ આવે તે માટેના પ્રયત્નો કાર્ય છે. 2029 પછી લોકસભાની સીટો 542 માંથી 700 થી વધુ થશે. જેમાં 50 ટકા બહેનો સંસદમાં આવશે. એ અધિકાર મોદી સાહેબે આપ્યો છે, તો આ વખતે રેખાબેન ચૌધરીને જંગી મતોથી જીતાડીને મોદી સાહેબને ફરી એકવાર પ્રધાનમંત્રી બનાવીને દેશને મજબૂત અને સક્ષમ બનાવીને વિકાસની તરફ લઈ જવા તમને અપીલ કરું છું.

આ પણ વાંચો: VADODARA : વેબસાઇટમાં નામ એન્ટર કરવાથી મતદારોને મળશે ડિઝીટલ ઇન્વિટેશન