Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર પણ થયા હતા ઘાયલ, જણાવી આપવીતી…

07:56 AM Apr 28, 2023 | Vipul Pandya

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસને લઇ ઐતિહાસિક ચુકાદો આવ્યો છે, અને 49 આરોપીઓ દોષિત સાબિત થયા છે. તમામ આરોપીઓને આજે સજાનું એલાન થશે. ત્યારે હાલના કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર પણ 2008 બ્લાસ્ટમાં ઘાયલ થયા હતા. ત્યારે ઐતિહાસિક ચુકાદા બાદ કેબિનેટ મંત્રી પ્રદીપ પરમારે રાજ્યના તત્કાલીન CM નરેન્દ્ર મોદીની કામગીરી યાદ કરી છે. પ્રદીપ પરમાર બ્લાસ્ટમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. ચુકાદાને લઇ તેઓએ કહ્યું કે,” આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ. હજુ મારો ઘા સૂકાયો નથી. બ્લાસ્ટ મારો પગ માંડ માંડ બચ્યો”