+

પુત્રને હતી દારૂ પિવાની લત, દારૂના દૂષણે પરિવારને કર્યો વેર-વિખેર

દારૂબંધીને લઈને અનેક બાબતો સામે આવતી હોય છે. અમદાવાદમાં દારૂને લઈને એક એવી ઘટના બની જેનાથી સંબંધો પર માઠી અસર પડી છે. પુત્ર દારૂ પીવાની લતે ચઢી જતા પિતાએ તેને ફટકાર્યો હતો. જેમાં પુત્રનું મોત નિપજ્યું હતું. આ મામલે બીજા પુત્રએ પિતા સામે ફરિયાદ નોંધાવી હતી. પુત્રની હત્યાના આરોપમાં પિતા જેલ હવાલેસરદારનગરમા કનુભાઈ ભરવાડ નામના આરોપીની સરદાર નગર પોલીસે હત્યાના ગુનામાં ધરપકડ કરી છે.
દારૂબંધીને લઈને અનેક બાબતો સામે આવતી હોય છે. અમદાવાદમાં દારૂને લઈને એક એવી ઘટના બની જેનાથી સંબંધો પર માઠી અસર પડી છે. પુત્ર દારૂ પીવાની લતે ચઢી જતા પિતાએ તેને ફટકાર્યો હતો. જેમાં પુત્રનું મોત નિપજ્યું હતું. આ મામલે બીજા પુત્રએ પિતા સામે ફરિયાદ નોંધાવી હતી. 
પુત્રની હત્યાના આરોપમાં પિતા જેલ હવાલે
સરદારનગરમા કનુભાઈ ભરવાડ નામના આરોપીની સરદાર નગર પોલીસે હત્યાના ગુનામાં ધરપકડ કરી છે. આરોપી કનુ ભરવાડ પર અન્ય કોઈની નહિં પણ પોતાના જ પુત્ર ભવાન ભરવાડની હત્યા કરી હોવાનો આરોપ છે. આ ઉંમરે સુખ દુઃખના દિવસો પુત્રો સાથે વિતાવવાની જગ્યાએ એક દારૂ પીવાની બાબતમાં ઝઘડો થતાં પુત્રની હત્યા કરી હતી. ત્યારે પુત્રની હત્યાને પગલે કનુભાઈ જેલના સળિયા પાછળ ધકેલાયા છે.
દારૂના દુષણે પરિવારને પરિવારને કર્યો વેર-વિખેર
પુત્રની હત્યાને લઇને કનુભાઈના જ બીજા પુત્રએ તેમની સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી પુત્રએ એક તરફ પિતાને જેલ હવાલે કર્યાં, તો બીજી તરફ ભાઈને પણ ખોવાનો વારો આવ્યો. દારૂ હકીકતમાં એક દુષણ છે તે ફરી એકવાર આ ઘટના પરથી સાબિત થાય છે.
Whatsapp share
facebook twitter