+

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, કોરોનાના નવા 7,606 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના કેસો ઘટતા જનતાને રાહત મળી છે. રાજ્યમાં કોરોનાના નવા 7,606 કેસ નોંધાયા છે. ગત રોજ કરતા કોરોનાના 1300  કેસ ઘટ્યા છે. રાજ્યમાં 13,195 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે.કોરોનાના કારણે 24 કલાકમાં 34 દર્દીઓના મૃત્યુ થયા છે. કોરોનાથી સાજા થવાનો દર 93.75 ટકા થયો છે.  રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં નોંધાયેલા કોરોનાના કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 3,165 નવા કેસ નોંધાયા તો વડોદરામાં 1,413 કેà

ગુજરાતમાં કોરોનાના કેસો ઘટતા જનતાને રાહત મળી છે. રાજ્યમાં કોરોનાના નવા 7,606 કેસ નોંધાયા છે. ગત રોજ કરતા કોરોનાના 1300  કેસ ઘટ્યા છે. રાજ્યમાં 13,195 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે.કોરોનાના કારણે 24 કલાકમાં 34 દર્દીઓના મૃત્યુ થયા છે. 

કોરોનાથી સાજા થવાનો દર 93.75 ટકા થયો છે.  રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં નોંધાયેલા કોરોનાના કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 3,165 નવા કેસ નોંધાયા તો વડોદરામાં 1,413 કેસ નોંધાયા છે. રાજકોટમાં 410 તો સુરતમાં 389 કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં 3,87,645 લોકોએ કોરોનાની રસી લીધી.  અત્યાર સુધી રાજ્યમાં 9.90 કરોડથી વધુ લોકો કોરોનાથી વેક્સિનેટેડ થયા છે.
Whatsapp share
facebook twitter