Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

એવું તો શું થયું કે અનુપમાએ રાખી દવેના વખાણ કર્યા

03:36 PM Apr 29, 2023 | Vipul Pandya

ટીઆરપી લિસ્ટમાં ટોપ પર રહેલા ટીવી શો ‘અનુપમા’ની સ્ટોરી આ દિવસોમાં એક રસપ્રદ વળાંકમાંથી પસાર થઈ રહી છે. આ શોની વાર્તા ઉતાર-ચઢાવમાંથી પસાર થયા બાદ આખરે અનુજ કાપડિયા અને અનુપમાના લગ્ન સુધી પહોંચી છે. હવે જ્યારે અનુપમા છૂટાછેડા લીધેલી મહિલા છે અને ત્રણ પુખ્ત બાળકોની માતા છે, ત્યારે સમગ્ર સમાજ અને તેનો પોતાનો પરિવાર પણ તેના બીજા લગ્નનો વિરોધ કરી રહ્યો છે. 

અનુ સામે બા અને વનરાજ શાહ
‘દાદી કી શાદી નહીં હોતી’નો મુદ્દો લાંબા સમયથી શોમાં ખેંચાઈ રહ્યો છે. નિર્માતાઓ આ મુદ્દાને ખૂબ જ સુંદર રીતે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કેવી રીતે સમાજ સ્ત્રીને પોતાનું જીવન જીવવામાં આડા આવે છે.  તે વનરાજ હોય ​​કે બા, દરેક જણ અનુપમાના અનુજ કાપડિયા સાથેના લગ્નની વિરુદ્ધ થઈ ગયા છે, અનુજ અને અનુપમા એક સાથે ખૂબ જ ખુશ હોવા છતાં ઘરના લોકો તેમના સબંધથી વિરોધ જાય છે.  
અનુપમાએ રાખી દવેના વખાણ કર્યા
હા, તમે તે સાચું વાંચ્યું છે. અનુપમાએ રાખી દવેના વખાણ  કર્યા અને ખુદ રાખી દવે પણ આ જોઇને આશ્ચર્યચકિત થઈ ગઈ. રાખી દવે આ શોમાં નેગેટિવ રોલ કરે છે, જે સામાન્ય રીતે બધાં સાથે દુર્વ્યવહાર કરતી જ જોવા મળે છે. અનુપમાએ શોમાં રાખી દવેના વખાણ કર્યા અને કહ્યું કે ઓછામાં ઓછું તે જે પણ બોલે છે તે  અનુપમાના મોં પર કહે છે. રાખી ખુલ્લેઆમ કહે છે કે હું ‘નાગિન’ છું જ્યારે તેના પરિવારના લોકો તેની પીઠ પાછળ તેની નિંદા કરે છે.


ચાહકોએ અનુપમાને ખૂબ સપોર્ટ કર્યો
અનુપમાએ શાહ પરિવારના એવા લોકોને જડબાતોડ જવાબ આપ્યો જેઓ હંમેશા તેમના લગ્નની વિરુદ્ધ હતા. ચાહકો પણ સોશિયલ મીડિયા પર અનુપમાને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા અને અનુપમાએ રાખી દવે વિશે જે કહ્યું હતું તે તેમને પસંદ આવ્યું હતું. લોકોએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને અનુપમાની વાતને સમર્થન આપ્યું છે અને હવે ચાહકો અનુ અને અનુજના લગ્ન ક્યારે થશે તેની રાહ જોઈ રહ્યા છે.