+

Dehgam : દહેગામમાં લઠ્ઠાકાંડ! 9 પૈકી 2ના મોત, અન્ય 7 સારવાર હેઠળ

ગાંધીનગરના દહેગામ (Dehgam) ખાતે લઠ્ઠાકાંડ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અહીં 9 લોકોની એકાએક તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ દર્દીઓ પૈકી 2 લોકોના…

ગાંધીનગરના દહેગામ (Dehgam) ખાતે લઠ્ઠાકાંડ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અહીં 9 લોકોની એકાએક તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ દર્દીઓ પૈકી 2 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 7 વ્યક્તિઓની હાલ ગાંધીનગર ખાતે સારવાર ચાલી રહી છે. આશંકા છે કે દારૂના સેવન પછી જ આ લોકોની તબિયત લથડી હતી.

મળતી માહિતી મુજબ, ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના દહેગામ (Dehgam) તાલુકાના લીહોડા ગામે 9 લોકોની અચાનક તબિયત લથડી હતી. આથી તેમણે ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, આ દર્દીઓ પૈકી 2 ના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 7 વ્યક્તિઓની ગાંધીનગર ખાતે સારવાર ચાલી રહી છે, જેમાં એક વ્યક્તિની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. આ દર્દીને એન્ટી ડોઝ અપાય રહ્યા છે. આશંકા છે કે દારૂના સેવન પછી આ લોકોની તબિયત લથડી હતી. દારૂના સેવનના કારણે બે લોકોના મોત થયાની શક્યતા છે. આથી ગાંધીનગરના દહેગામમાં (Dehgam) લઠ્ઠાકાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

આ બાબત ધ્યાને આવતા એસપી સહિતનો પોલીસ કાફલો લિહોડા ગામે પહોંચ્યો હતો અને સ્થાનિક લોકો અને પીડિતોના પરિવારજનો સાથે પૂછપરછ હાથ ધરી હતી. જ્યારે સેમ્પલ FSL મોકલવામાં આવ્યા હોવાની માહિતી છે. આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો – ઉત્તરાયણના દિવસે 108 ઇમર્જન્સી કોલમાં થયો ધરખમ વધારો, વાંચો અહેવાલ

Whatsapp share
facebook twitter