+

દહેજની કંપનીમાં ભીષણ આગ, 2 લોકોના મોત !

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ દહેજની ઇન્ડિયન પેરોક્સાઇડ કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે.. આ આગમાં 2 લોકોના મોત થયાની આશંકા છે..હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવાની કામગીરી ચાલી રહી…

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

દહેજની ઇન્ડિયન પેરોક્સાઇડ કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે.. આ આગમાં 2 લોકોના મોત થયાની આશંકા છે..હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે. બોઇલર ફાટવાથી આ આગ લાગી હોવાનું અનુમાન છે.

કંપનીમાં હાઇડ્રોજન પેરોકસાઇડની પ્રોસેસ થઇ રહી હતી તે દરમ્યાન આગ લાગી હતી.આસપાસના લોકોએ પોતાના મોબાઇલના કેમેરામાં આગના દ્રશ્યો કેદ કર્યા હતા. આગના પગલે નજીકમાં રહેલી ટેગ્રોસ નામની કંપનીની ચિંતાઓ વધી ગઇ હતી..

Whatsapp share
facebook twitter