+

Farmers Protest Leader: વિરોધ પ્રદર્શનકારી ખેડૂતોના વડાનો સામે આવ્યો વાયરલ વીડિયો

Farmers Protest Leader: દિલ્હી સરકાર સામે ખેડૂતો (Farmers Protest) દ્વારા જારી કરાયેલા વિરોધ પ્રદર્શનનો આજે ત્રીજો દિવસ છે. તે ઉપરાંત આજરોજ કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડા (Central Minister Agraiculture Arjun…

Farmers Protest Leader: દિલ્હી સરકાર સામે ખેડૂતો (Farmers Protest) દ્વારા જારી કરાયેલા વિરોધ પ્રદર્શનનો આજે ત્રીજો દિવસ છે. તે ઉપરાંત આજરોજ કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડા (Central Minister Agraiculture Arjun Munda) દ્વારા આજે ખેડૂતો સાથે વાતચીત પણ કરવામાં આવશે.

  • ખેડૂત સંગઠનના વડાનો થયો વાયરલ
  • મોદીનો ગ્રાફ નીચે લાવવાનો પ્લાન
  • વીડિયોમાં સંગઠનના વડાએ શું કહ્યું ?

ખેડૂત સંગઠનના વડાનો થયો વાયરલ

આ વિરોધ પ્રદર્શન દ્વારા ખેડૂતો (Farmers Protest) ની માંગ છે કે સરકારે તેમની લોન માફ કરવી જોઈએ અને MSP ની ખાતરી આપવી જોઈએ. આ વિરોધમાં ભારતીય કિસાન યુનિયન (Indian Farmers Union) નું પણ સર્મથન મળી રહ્યું છે. ત્યારે આ તાજેતરમાં સંગઠનના વડા જગજીત સિંહ દલ્લેવાલનો એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે.

મોદીનો ગ્રાફ નીચે લાવવાનો પ્લાન

આ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વિરૂદ્ધ નિવેદન આપ્યું છે, જેના કારણે હવે તેમના વિરોધ કરવાના ઈરાદા પર સવાલો ઉઠી રહ્યા છે. આ વીડિયો માં જગજીત સિંહ દલ્લેવાલ (Jagjit Singh Dallewal) કહે છે કે રામ મંદિર (Ram Mandir) ના અભિષેક બાદ પીએમ મોદી (PM Modi) ની લોકપ્રિયતાના ગ્રાફને નીચે લાવવા માટે ખેડૂતોનો વિરોધ શરૂ થયો છે.

વીડિયોમાં સંગઠનના વડાએ શું કહ્યું ?

તેમણે કહ્યું કે રામ મંદિર પછી પીએમ મોદી (PM Modi) નો ગ્રાફ ઘણો ઊંચો ગયો છે. આપણે તેમનો ગ્રાફ નીચે લાવવાની જરૂર છે. દલ્લેવાલ (Jagjit Singh Dallewal) ની ટિપ્પણીનો જવાબ આપતા હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે (Haryana Chief Minister Manoharlal Khattar) કહ્યું કે, આ એક રાજકીય નિવેદન છે. જો આટલા મોટા વિરોધનું આયોજન થશે તો શું લોકો પીએમ મોદીને સમર્થન આપવાનું બંધ કરશે? લોકોમાં એક સંદેશ ફેલાઈ રહ્યો છે કે વિરોધ કરવાનો આ યોગ્ય રસ્તો નથી.

આ પણ વાંચો: Farmer Protest : પંજાબમાં રેલ્વે ટ્રેક પર ખેડૂતો એકઠા થયા, વિરોધીઓએ ટ્રેનો રોકી…

Whatsapp share
facebook twitter