Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

બેંકના લોન વિભાગ ના કર્મચારીઓએ જ બેંક સાથે આચરી રૂપિયા 31 કરોડની છેતરપીંડી

12:08 AM Apr 28, 2023 | Vishal Dave

અહેવાલઃ  આનંદ પટણી, સુરત 

સુરત મા વિશ્વાસઘાત ના કિસ્સાઓ વધી રહ્યા છે તેવામા બેન્કના લોન વિભાગ ના કર્મચારીઓએ બેન્ક સાથેજ છેતરપીંડી કરી છે..જગ્યાના ખોટા ભાવ રજૂ કરી ઊંચી લોન અપાવી બેન્ક સાથે 31 કરોડ રૂપિયા ની ઉચાપત કરી છેતરપીંડી આચરી હતી..જે ઘટના માં સુરત ઇકોસેલ પોલીસ દ્વારા 4 જેટલા ઈસમો ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..

સુરત દેશમાં ઝડપથી વિકાસ પામતું અને મેગા સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સુરત શહેર ગુજરાત રાજ્યનું આર્થિક પાટનગર છે.. આથી સુરત શહેરમાં અનેક નાની મોટી થાપણો મુકી ભવિષ્ય બાબતે ચિંતામુક્ત થાય છે. પરંતુ કેટલીક વ્યક્તિઓ પોતાના આર્થિક ફાયદો કરાવવા માટે જાણી જોઈને પોતાનું કામ યોગ્ય રીતે નહીં કરીને ખોટી રીતે લોન મેળવી બેંકો સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરી રહેલાની ફરિયાદો ઉઠવા પામી છે..

લોન ધારકોની વિઝીટ જેવી બાબતોની જવાબદારી નહી નિભાવી

ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્ક લીમીટેડમાં હેડ કલેક્શન, ફ્રોડ રીસ્ક અને એનાલીટીક્સ દ્વારા સુરત પોલીસને અરજી અપાઇ હતી. જેમાં ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્ક લીમીટેડમાં ઓવર ફંડીંગ થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું.. જેમાં બેન્કના કર્મચારી તથા કેસ લાવનાર વ્યક્તિ અને વેલ્યુઅરે મુખ્ય ભાગ ભજવી બેન્કને મોટુ આર્થીક નુકસાન કરી બેંક સાથે છેતરપીંડી ની ફરિયાદ નોંધાઇ હતી..સમગ્ર મામલે ઈકોસેલ દ્વારા પ્રાથમીક તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન સને-૨૦૨૦ થી સને-૨૦૨૧ દરમ્યાન બેન્ક દ્વારા જે લોનો આપવામાં આવી છે તે લોનના કેસો 12 જેટલા વ્યક્તિઓ મિલ્કતની તથા લોન ધારકોની વિઝીટ જેવી બાબતોની જવાબદારી નહી નિભાવી હોવાનું સામે આવ્યું હતું.

મિલ્કતની વેલ્યુ ઓછી હોવા છતા વધુ બતાવી

આ કાવતરાના ભાગરૂપે વેલ્યુઅરના વેલ્યુએશન રીપોર્ટ બેન્કમા સબમીટ કરાવી તમામે ભેગા મળી એકબીજાના મેળાપીપણામા તમામે પોતાનો આર્થીક લાભ મેળવવા અંગેનો માટે મનસૂબો પાર પાડવા માટે સુઆયોજીત કાવતરૂ રચી આયોજન બધ્ધ રીતે જે તે મિલ્કતની વેલ્યુ ઓછી હોવા છતા વધુ બતાવી હોવાનું સામે આવ્યું હતું.. અને બેંકમા લોન મેળવવાની પ્રક્રિયામાં એકબીજાની મદદગારી કરી બેન્ક પાસેથી અલગ અલગ રકમની લોનો ૧૧૫ જેટલા લોન ધારકોને અપાવી બેન્કને ઓવર ફંડીંગ કરાવી સને-૨૦૨૦-૨૦૨૧ દરમ્યાન બેન્ક સાથે અંદાજીત રૂ.૩૧ કરોડની ઉચાપત કરી વિશ્વાસઘાત કર્યો હતો..

ઈકોસેલ તપાસ તેજ કરતા આરોપીઓ મયુરકુમાર શશીકાંત બિસ્કીટવાલા, સંજય કાનજીભાઇ બોઘરા, પવનકુમાર મોહનદાસ સાધવાણી અને સંદિપકુમાર પ્રવિણચંદ્ર રાણા નામના 4 ઈસમો ને પકડી પાડવામાં સફળતા મળી હતી…સાથેજ ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ લીમીટેડ બેન્કનાં નાણા કોણે કોણે ઉપયોગમાં લીધા છે તેમજ આ પ્રોફાઇલ ફંડીંગમાં કોણ કોણ સામેલ છે તે દિશા માં તપાસ શરૂ કરી છે..

સમગ્ર પ્રકરણમાં ચારેય આરોપીઓએ અલગ અલગ ભૂમિકા નિભાવીને લોકો સાથે છેતરપીંડી કરી છે.. જેમાં મયુર બિસ્કીટવાલા ઉત્કર્ષ સ્મોલ બેંકમાં મેનેજર હતા જેમણે લોન આપવા પહેલા ચકાસણી નહોતી કરી. સંજય બોધરા બેંકમાં ડીએસએ તરીકે કામ કરતા અને મિલકતની વેલ્યુએશન ઓછી હોવા છતાં આરોપીઓ સાથે મળી લોન ડીસ્બર્સ કરાવી હતી. પવન સાધવાણી બેંકમાં વેલ્યુઅર હતા અને તેમણે મિલકોતની વેલ્યુએશન વધુ પ્રમાણમાં બતાવી રિપોર્ટ સબમિટ કર્યા હતા.. સંદિપ રાણી પણ ડીએસએ હતા અને તેમણે પણ ઓછી વેલ્યુએશન વાળી મિલકતો સંબંધે ધ્યાન દોરવાની જગ્યાએ આર્થિક ફાયદો મેળવ્યો હતો..