+

શું તમારા ઘરે પાલતું કૂતરું છે? તો આ નિયમ ધ્યાનથી વાચી જજો, નહીંતો થશે મોટું નુકસાન

આજે આપણી ઈન્ડિયન સોસાયટીમાં પાલતું કૂતરું કે બિલાડી રાખવું એક સ્ટેટસ બની ગયું છે. જોકે, ઘણીવાર એવું બની જાય છે કે તમારું પાલતું પ્રાણી અન્ય લોકો માટે મુસિબત બની જાય છે. જો તમારા ઘરે પણ કોઇ પાલતું કૂતરું કે બિલાડી છે તે હવે તમારે અમુક નિયમોનું પાલન કરવું પડશે. છેલ્લા ઘણા દિવસોથી નોઇડા શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક મહિનામાં કૂતરાના કરડવાની ઘટનાઓમાં થયેલા વધારાને ધ્યà
આજે આપણી ઈન્ડિયન સોસાયટીમાં પાલતું કૂતરું કે બિલાડી રાખવું એક સ્ટેટસ બની ગયું છે. જોકે, ઘણીવાર એવું બની જાય છે કે તમારું પાલતું પ્રાણી અન્ય લોકો માટે મુસિબત બની જાય છે. જો તમારા ઘરે પણ કોઇ પાલતું કૂતરું કે બિલાડી છે તે હવે તમારે અમુક નિયમોનું પાલન કરવું પડશે. છેલ્લા ઘણા દિવસોથી નોઇડા શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક મહિનામાં કૂતરાના કરડવાની ઘટનાઓમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને, નોઇડા ઓથોરિટીએ નુકસાનની રકમ નક્કી કરી છે. 
10 હજારનો દંડ અને સારવારનો ખર્ચ ઉઠાવવો પડશે
ઉત્તર પ્રદેશના નોઈડામાં ડોગ પોલિસીને મંજૂરી આપવામાં આવી છે. નોઈડા ઓથોરિટીની બેઠકમાં નવી ડોગ પોલિસીને મંજૂરી આપવામાં આવી છે. નોઇડા ઓથોરિટીના જણાવ્યા અનુસાર, 1 માર્ચ, 2023થી પાલતુ કૂતરા અથવા બિલાડીના હુમલાના કિસ્સામાં માલિકો પર 10,000 રૂપિયા (01.03.2023 થી)નો દંડ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે પીડિતની સારવારની જવાબદારી પણ પશુઓના માલિકોએ લેવાની રહેશે. છેલ્લા કેટલાક મહિનામાં કૂતરાઓના હુમલાને ધ્યાનમાં રાખીને આ ડોગ પોલિસી તૈયાર કરવામાં આવી છે. આ હેઠળ, તમામ કૂતરા અને પ્રાણી પ્રેમીઓ માટે 31 જાન્યુઆરી, 2023 સુધીમાં તેમના પાલતુ પ્રાણીઓની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. પોલિસીમાં કરવામાં આવેલી જોગવાઈઓનું પાલન ન કરવાના કિસ્સામાં દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.
કૂતરાની ગંદકીની સફાઈ પણ માલિક કરશે
નોઇડા ઓથોરિટીના CEOએ ટ્વીટમાં લખ્યું, “આજે નોઇડા ઓથોરિટીની 207મી બોર્ડ મીટિંગમાં, પાલતુ કૂતરા/બિલાડીને કારણે ઇજાગ્રસ્ત થવાના કિસ્સામાં ₹ 10000/- (01.03.2023 થી) ની નાણાકીય દંડ લાદવાની સાથે કોઈપણ અપ્રિય ઘટનાના કિસ્સામાં વ્યક્તિ/પ્રાણીની સારવારનો ખર્ચ પાળેલા કૂતરાના માલિક દ્વારા ઉઠાવવામાં આવશે. તેમણે તેમના ઘણા ટ્વીટમાં લખ્યું છે કે, આજે નોઈડા ઓથોરિટીની 207મી બોર્ડ મીટિંગમાં, નીતિ ઘડતર અંગેનો નિર્ણય રખડતા/પાલતુ કૂતરા/પાલતુ બિલાડીઓ માટે નોઇડા ઓથોરિટી નોઇડા વિસ્તાર માટે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકાને અનુસરીને સત્તાધિકારી દ્વારા નીતિ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત, તેમણે કહ્યું કે, જ્યારે પાલતુ કૂતરા દ્વારા કચરો જાહેર સ્થળે પડે છે ત્યારે તેને સાફ કરવાની જવાબદારી પશુ માલિકની હોય છે. 
નોંધણી અને રસીકરણ ન કરાવવા બદલ પણ દંડ
પાલતુ કૂતરાઓની નસબંધી અને હડકવા વિરોધી રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે અને ઉલ્લંઘન પર 2,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. આ ઉપરાંત, એવું કહેવામાં આવ્યું છે કે RWA/AOA/ગામના રહેવાસીઓની સંમતિથી, બીમાર/ઉગ્ર/આક્રમક શેરી કૂતરાઓ માટે ડોગ શેલ્ટર બનાવવામાં આવશે, જેની જવાબદારી સંબંધિત RWA/AOA દ્વારા નિભાવવામાં આવશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter