Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગણપતિના વિસર્જન વખતે આટલી બાબતોનું રાખજો ધ્યાન

08:56 AM Apr 19, 2023 | Vipul Pandya

રાજયમાં હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે  ભક્તો ગણપતિ દાદાની ભક્તિમાં ડૂબેલા છે. ગણપતિ દાદાની સાથે રિદ્ધિ-સિદ્ધિનો પણ વાસ હોય ત્યારે તેને ગૌરી ગણપતિ કહેવામાં આવે છે. ઘરોમાં વિશેષ શણગાર કરવામાં આવે છે અને ગૌરી ગણપતિને અનેક પ્રકારના ભોગ ચઢાવવામાં આવે છે.વાત કરીએ ગણપતિ વિસર્જનની.તો ગણપતિ વિસર્જન અનંત ચતુર્દશીના દિવસે થાય છે, ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશની સ્થાપનાના 10 દિવસ પછી. આવતા વર્ષે વહેલા આવવાની વિનંતી સાથે લોકો ગણપતિ બાપ્પાને વિદાય આપે છે. બીજી તરફ કેટલાક લોકો દસ દિવસ નહીં, પરંતુ  દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ અને આઠ દિવસ ગણપતિ રાખે છે. જેના કારણે ગણપતિ સ્થાપનાના દોઢ દિવસથી શુભ મુહૂર્તમાં ગણપતિ વિસર્જનની પ્રક્રિયા શરૂ થાય છે.

દર વર્ષની જેમ સૌથી વધુ વિસર્જન 10 દિવસના ગણેશોત્સવ પછી અનંત ચતુર્દશી શુક્રવાર 9 સપ્ટેમ્બરના રોજ થશે. આ દરમિયાન મુંબઇના સમુદ્રથી લઇને  દેશભરની નદીઓ અને તળાવોના ઘાટ ગણપતિ બાપ્પા મોરિયાના નારાથી ગુંજી ઉઠે છે.  ત્યારે  આવો જાણીએ ગણપતિ વિસર્જન પહેલા વિસર્જન સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ બાબતો અને નિયમો.
ગણપતિ વિસર્જન પહેલા ગણપતિને એક નવા પાટલા પર બિરાજમાન કરો. ત્યાં  તેમની પૂજા કરીને તેમને ચંદન, કંકુ, અક્ષત, પાણી, પાન, સોપારી, દુર્વા, ભોગ વગેરે અર્પિત કરી તેમની આરતી ઉતારો. ત્યારબાદ ધૂપ-દિપ કરો. અને ત્યારબાદ ગણેશજી પાસે હાથ જોડીને પોતાની ભૂલો બદલ ક્ષમા માંગો.સાથે જ જીવનમાં બધું જ સારુ થાય તેવા આશિર્વાદ માંગો. વાજતે-ગાજતે તેમને વિસર્જન માટે લઇ જાવ.આ દરમ્યાન કોઇ ચામડાની વસ્તુ ન પહેરવી.કાળા કપડા ન પહેરવા.કોઇપણ જાતનો નશો ન કરવો. પૂરા ભક્તિભાવથી બીજા વર્ષે જલદી આવવાની પ્રાર્થના સાથે દાદાનું વિસર્જન કરો