Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ થયા કોરોના પોઝિટિવ, ઘરમાં થયા આઇસોલેટ

02:59 PM Apr 20, 2023 | Viral Joshi

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. રાજનાથ સિંહમાં હળવા લક્ષણો છે જેના પછી તેમણે પોતાને હોમ આઇસોલેટ કરી દીધા હતા.

ગઈકાલે રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હીના માણેકશા સેન્ટરમાં આયોજિત કમાન્ડર કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. બીજી તરફ, રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં ભારતીય વાયુસેના કમાન્ડર્સની કોન્ફરન્સમાં ભાગ લેવાના હતા. પરંતુ કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે તેઓ આ કોન્ફરન્સમાં ભાગ લેશે નહીં.

મહત્વન મહત્વનું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 12591 કેસ નોંધાયા છે. આ દરમિયાન 29 લોકોના મોત થયા છે. તે જ સમયે, પોઝિટિવિટી રેટ પણ 5% થી ઉપર પહોંચી ગયો છે.

આ પણ વાંચો : રેણૂ ભાટિયાના બિગડે બોલ, કહ્યું- OYO રુમ્સમાં છોકરીઓ હનુમાનજીની આરતી કરવા તો જતી નથી