Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Count Down : ‘શનિ’વારે ‘રવિ’ તરફ પ્રયાણ કરશે આદિત્ય-એલ1 

10:25 PM Sep 01, 2023 | Vipul Pandya
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઈતિહાસ રચ્યા બાદ ઈસરો હવે સૂર્ય તરફ આગળ વધી રહ્યું છે. ભારતના પ્રથમ સૌર મિશન (solar mission)  ‘આદિત્ય-એલ1’ (Aditya-L1)ના લોન્ચનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ જણાવ્યું કે તેને શનિવારે (2 સપ્ટેમ્બર) સવારે 11.50 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી PSLVથી લોન્ચ કરવામાં આવશે.
આદિત્ય એલ-1 પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિમી દુર હશે
શુક્રવારે (1 સપ્ટેમ્બર)ના રોજ આ મિશન સંબંધિત માહિતી આપતી વખતે, ISRO એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું  કે આદિત્ય એલ-1 પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિમી દુર સૂર્યની તરફ નિર્દેશીત રહેશે, જે પૃથ્વી અને સૂર્યની દુરીથી લગભગ 1 ટકા છે.
શું આદિત્ય-L1 સૂર્ય પર ઉતરશે?
ભારતીય અવકાશ એજન્સીએ વધુમાં જણાવ્યું હતું કે, “સૂર્ય ગેસનો વિશાળ દડો છે અને આદિત્ય-L1 સૂર્યના બાહ્ય વાતાવરણનો અભ્યાસ કરશે. આદિત્ય-L1 ન તો સૂર્ય પર ઉતરશે અને ન તો સૂર્યની નજીક આવશે.” ISRO એ બે ગ્રાફ દ્વારા આ મિશન વિશે વધુ વિગતવાર માહિતી આપી.

યાનને હોલો ઓર્બિટમાં મૂકવામાં આવશે
આદિત્ય-L1 મિશનમાં, અવકાશયાનને લેગ્રેન્જ પોઈન્ટ-1 (L-1)ની આસપાસ હોલો ઓર્બિટમાં મૂકવામાં આવશે. તે પૃથ્વીથી લગભગ 1.5 લાખ કિમી દૂર છે. L-1 બિંદુ ગ્રહણથી પ્રભાવિત નથી અને આ સ્થાનથી સૂર્ય સતત જોઈ શકાય છે.

લોન્ચિંગ પહેલા ઇસરો ચીફ મંદિર પહોંચ્યા હતા
ISRO એ આદિત્ય-L-1 મિશનનું લોન્ચિંગ રિહર્સલ અને રોકેટની આંતરિક તપાસ બુધવારે (30 ઓગસ્ટ) પૂર્ણ કરી હતી. ઈસરોના વડા એસ સોમનાથે કહ્યું છે કે આ મિશનને ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં 125 દિવસનો સમય લાગશે. પ્રક્ષેપણ પહેલા, ISROના વડાએ શુક્રવારે તિરુપતિના સુલુરુપેટામાં શ્રી ચેંગલમ્મા પરમેશ્વરી મંદિરની મુલાકાત લીધી હતી અને મિશનની સફળતા માટે પ્રાર્થના કરી હતી.