ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાને લઈને
મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ઓરેન્જ એલર્ટ લાગુ કરવામાં આવ્યું છે. સવારથી
અવિરત વરસાદ બાદ શ્રદ્ધાળુઓની પદયાત્રા બંધ કરી દેવામાં આવી છે અને હોટલોમાં પરત
ફરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. રૂદ્રપ્રયાગના સીઓ પ્રમોદ કુમારે આ માહિતી આપી
હતી. તેમણે કહ્યું કે અત્યારે મંદિરમાં ન જાવ અને સુરક્ષિત રહો.