![](https://www.gujaratfirst.com/imgs/news/910.jpg?v=1644908196)
ગુજરાત પોલીસ માટે મંગળવારનો દિવસ દુ:ખદ સાબિત થયો છે. ભાવનગરના પોલીસકર્મીઓને રાજસ્થાનમાં
અકસ્માત નડ્યો છે, અકસ્માતમાં ચારેય પોલીસકર્મીઓ શહીદ થયા છે. આ અકસ્માતમાં આરોપીનું પણ મોત
થયું છે.
મોડી રાત્રે ગોઝારો અકસ્માત
રાજસ્થાનના જયપુરમાં શાહપુરાના ભાબરુ પાસે અંદાજે રાત્રે 2 વાગ્યાની આસપાસ કાર ધડાકાભેર ઝાડ સાથે
અથડાઈ, અકસ્માતમાં ચાર પોલીસકર્મીઓ અને આરોપીના મોત થયા છે. ભાવનગરના ચાર પોલીસકર્મીઓ
હરિયાણાથી આરોપીને લઈ પરત ફરી રહ્યા હતા તે સમયે જયપુર-દિલ્લી નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો.
સ્થાનિક પોલીસની તપાસમાં ચારેય પોલીસકર્મીઓ ભાવનગરના હોવાની જાણકારી બહાર આવી હતી.
ફરજ પર પોલીસકર્મીઓ શહીદ
![](https://www.gujaratfirst.com/imgs/editor/1474996221WhatsApp Image 2022-02-15 at 10.35.25.jpeg)
શક્તિસિંહ ગોહિલ, ભીખુભાઈ બુકેરા, ઈરફાન આગવાન અને મનુભાઈ આ ચારેય પોલીસકર્મીઓ ફરજ દરમિયાન
શહીદ થયા છે. હરિયાણાથી આરોપીને પકડીને ચારેય પોલીસકર્મીઓ ભાવનગર પરત ફરી રહ્યા હતા.
![](https://www.gujaratfirst.com/imgs/editor/1814430011ભીખુભાઈ પોલીસ જવાન.jpeg)
બંને રાજ્યોના CMએ વ્યકત કર્યો શોક
ગુજરાતના પોલીસકર્મીઓના શહીદ થવાની ઘટના પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી શોક વ્યકત કર્યો. ભૂપેન્દ્ર
પટેલે ટ્વીટ કરતા કહ્યું કે- ‘4 પોલીસકર્મીઓ અને એક આરોપીના મૃત્યુના સમાચાર મળ્યા છે તે અત્યંત દુ:ખદ છે, ઈશ્વર
તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના’. બીજીતરફ રાજસ્થાનના CM અશોક ગેહલોતે પણ દુ:ખ વ્યકત કર્યો.