Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

‘તે હંમેશા પ્રાર્થનામાં’: મુખ્યમંત્રી માનના પૂર્વ પત્ની ઈન્દ્રપ્રીત કૌર

09:46 AM May 11, 2023 | Vipul Pandya

આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને આજે બુધવારે પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ શપથ સમારોહમાં અમેરિકામાં રહેતા ભગવંત માનના બે બાળકો – દિલશાન માન અને સીરત કૌર માન ઉપસ્થિત રહ્યા હતા. આ શપથ ગ્રહણ સમારોહમાં માત્ર પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો અને માનના નજીકના લોકોને જ બોલાવવામાં આવ્યા છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં AAPએ 92 બેઠકો પર જંગી જીત મેળવી હતી.
તેઓ હંમેશા પ્રાર્થનામાં છે: મુખ્યમંત્રી માનના પૂર્વ પત્ની 
માનની જીત બાદ પૂર્વ પત્ની ઈન્દ્રપ્રીત કૌરએ જણાવ્યું કે, ‘મેં હંમેશા તેની સફળતા માટે ખૂબ જ મહેનત કરી છે, પરંતુ તેની પીઠ પાછળ મારા તરફથી ક્યારેય ખોટું નથી કહ્યું. વર્ષોથી તે હંમેશા પ્રાર્થનામાં રહ્યો છે અને હંમેશા રહેશે. હા, અંતરો છે, પરંતુ તેનો અર્થ એ નથી કે અમે તેમની પ્રગતિ માટે પ્રાર્થના કરતા ન હતા. હું અહીં અમેરિકામાં મારા કામ અને મારા બાળકોના શિક્ષણમાં વ્યસ્ત હતી.’
માન અને કૌર 2015માં અલગ થઈ ગયા, ત્યારબાદ કૌર બાળકો સાથે યુએસમાં સ્થાયી થઈ ગઈ. ખાસ વાત એ છે કે વર્ષ 2014માં લોકસભા ચૂંટણી દરમિયાન કૌરે મનના પ્રચારમાં ઘણો પરસેવો પાડ્યો હતો. તેમણે સંગરુરના ગામડાઓમાં આક્રમક પ્રચાર કર્યો હતો. ઘણી વખત માન પોતે સ્વીકાર્યું છે કે આખું પંજાબ તેમનો પરિવાર હોવા છતાં, જ્યારે તે કામ પરથી પરત ફરતી વખતે ખાલી ઘર જુએ છે ત્યારે તેને દુઃખ થાય છે. તેણે ઘણી વખત સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાના બાળકો પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે.   
માનની  સફર 
1973- જન્મ 
1992- બી.કોમ.નો અભ્યાસ છોડ્યો. 
2011- રાજકીય સફર શરુ કરી. 
2012- પહેલીવાર વિધાનસભાની ચૂંટણીઓ લડ્યા અને હારનો સ્વાદ ચાખ્યો. 
2014-  સંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. 
2019- ફરીવાર સંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા.
2022- પંજાબના મુખ્યમંત્રી તરીકે લીધા શપથ.