Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ન્યૂજર્સીના BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે US, કેનેડા અને ભારતમાં જન્મેલા 30 સુશિક્ષિત યુવાનોએ લીધી દીક્ષા, સેવા, બલિદાન અને ભક્તિ માટે જીવનનું સમર્પણ

06:48 PM Oct 10, 2023 | Vishal Dave

BAPS સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલે, ન્યૂજર્સીની પાવન ભૂમિમાં તારીખ 2 ઓક્ટોબર, 2023 ના રોજ એક અભૂતપૂર્વ અને હૃદયસ્પર્શી દીક્ષાદિન યોજાયો. આ સમારોહમાં યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને ભારતમાં જન્મેલા અને ઉછરેલા 30 સુશિક્ષિત યુવાનોએ એક નવા જીવનની શરૂઆત કરી, નિઃસ્વાર્થ સેવાની પરિવર્તન યાત્રાની શરૂઆત કરી.. . દીક્ષા દિન તેમના જીવનમાં એક અસાધારણ પ્રકરણ ચિહ્નિત કરે છે, જે અતૂટ શ્રદ્ધા, એકતા અને ભક્તિ દ્વારા માર્ગદર્શિત માર્ગ માટે પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.

 

30 યુવાન આત્માઓની અદમ્ય ભાવનાનો પુરાવો

દીક્ષા દિન માત્ર એ એક પ્રસંગ નથી પરંતુ તે આ 30 યુવાન આત્માઓની અદમ્ય ભાવનાનો પુરાવો છે જેઓએ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને કંપનીઓમાં અધ્યયન અને વ્યવસાયોના વિવિધ ક્ષેત્રોને અપનાવ્યા હતા. . આ નવયુવાનોમાંથી ઘણા એવા યુવાનો છે કે જેઓ તેમના માતાપિતાના એકમાત્ર સંતાન છે, જે દર્શાવે છે કે તેમના માતા પિતાએ સમાજ કલ્યાણ અને લોકોની નિઃસ્વાર્થ ભાવે સેવા કરવા માટે પોતાના વ્હાલસોયા પુત્રોને રાજીખુશી સાથે દિક્ષા લેવાની પરવાનગી આપી છે જેથી તે યુવાનો પોતાની આધ્યાત્મિક પ્રગતિની સાથે સાથે અનેક લોકોના જીવન પરિવર્તન કરવામાં અતુલ્ય યોગદાન આપી શકે.

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે તમામ યુવાનોને વૈદિક દીક્ષા મંત્રો આપ્યા

 

સાધુ જીવન તરફ અગ્રેસર કરતી આ પવિત્ર દીક્ષા જે નિસ્વાર્થ સેવા માટે સમર્પિત શ્રદ્ધેય સમુહ છે. સાથેજ માનવતાના ઉત્થાન માટે વિનમ્રતા, કરુણા, અને અતૂટ સમર્પણના મુલ્યોને ઉજાગર કરે છે. તે એક ગહન વિશ્વાસને રેખાંકિત કરે છે કે વ્યક્તિગત સમર્પણ સમાજ પર સ્થાયી અને સકારાત્મક પ્રભાવ પાડે છે. આયોજિત સમારોહમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે તમામ યુવાનોને વૈદિક દીક્ષા મંત્રો આપ્યા હતા.

 

મહંત સ્વામી મહારાજે અંતઃકરણ પૂર્વક આશીર્વાદ આપ્યા

નવદિક્ષિત યુવાનોને મહંત સ્વામી મહારાજે અંતઃકરણ પૂર્વક આશીર્વાદ આપ્યા કે “તમારા મનમાં ભગવાન અને સમાજની સેવા કરવાનું પૂર્વનિર્ધારિત હતું, નહીં તો આજે તમે અહીં બેઠા ન હોત. અહીંથી ઘણું કામ કરવાનું બાકી છે. આપ સૌ સેવાના માધ્યમથી ઇશ્વરની પ્રાપ્તિના આ માર્ગ પર સફળ થાઓ તેવા આશિર્વાદ છે. તેમણે કહ્યું કે આ સુશિક્ષિત નવયુવાનો અક્ષરધામના ઉપદેશોને તેમની નવી આધ્યાત્મિક સફરમાં ચરિતાર્થ કરવાની પ્રેરણા સાથે લઈ જાય છે, તેઓ આ પવિત્ર સ્થાનમાં રહેલા નિઃસ્વાર્થ પ્રેમ અને એકતાના સાર્વત્રિક સંદેશાઓના તેજસ્વી ઉદાહરણ તરીકે સેવાકાર્ય બજાવશે.”

 

“મૂલ્યો તેમજ અહિંસાનો ઉત્સવ” નામના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

આ દિક્ષા સમારોહ સાથે અક્ષરધામ મહામંદિરમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસની ઉજવણી માટે “મૂલ્યો તેમજ અહિંસાનો ઉત્સવ” નામના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું. .જેમાં સમગ્ર ઉત્તર અમેરિકામાંથી ભક્તો અને શુભેચ્છકો સત્ય, અહિંસા અને સમાનતા સહિતના હિંદુ ધર્મના મુખ્ય સિદ્ધાંતોની ચર્ચા કરવા માટે એકત્ર થયા હતા. આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ મહાત્મા ગાંધીના જીવન અને કાર્યનું સન્માન કરે છે, જેમણે ભારતની આઝાદી માટેના સફળ પ્રયાસોમાં અહિંસક પ્રતિકારનો સફળ ઉપયોગ કર્યો હતો. અહિંસા અને શાંતિના આ સમાન મૂલ્યો હિંદુ શાસ્ત્રોમાં અંકિત છે.

 

બન્ને કાર્યક્રમો સમાજમાં ઉદાહરણરૂપ 

BAPS સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંત પૂજ્ય સ્વયંપ્રકાશદાસ સ્વામીએ (ડૉક્ટર સ્વામી) તેમના વક્તવ્યમાં કહ્યું કે, “આજના મહાત્મા ગાંધીની જન્મજયંતિના દિવસે, ચાલો આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લઈએ, સફળતા ફક્ત શબ્દોથી નહીં, પરંતુ આપણા કાર્યો અને ચારિત્ર્યની શુદ્ધતા દ્વારા પ્રાપ્ત થાય છે. આજના બંને કાર્યક્રમો ઉદાહરણરૂપ છે કે કેવી રીતે અક્ષરધામ આધ્યાત્મિક ભક્તિ, સાંસ્કૃતિક વારસા અને એકતાના દીવાદાંડી તરીકે સેવા આપે છે, ભારતની જીવંત પરંપરાઓ અને વારસાને સાચવી અને વિશ્વના ખૂણે-ખૂણે ફેલાવે છે.