દિલ્હીના
મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલના ઘરની બહાર
હિંસક વિરોધ પ્રદર્શન અને તોડફોડના મામલામાં સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી
હાથ ધરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટનું કહેવું છે કે આ ઘટના ખૂબ જ ચિંતાજનક
સ્થિતિ છે. દેખાવકારો દ્વારા 3 બેરિકેડને તોડી
પાડવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે
દિલ્હી પોલીસ વિશે કહ્યું કે તમારે તમારું કામ જોવાની જરૂર છે.