+

શ્રીલંકા સામે ભારતનો 6 વિકેટથી પરાજય

આજની મેચ બાદ સુપર ફોરના પોઈન્ટ ટેબલમાં શ્રીલંકા બે જીત સાથે ટોપ પર છે. આ સાથે જ પાકિસ્તાન એક જીત સાથે બીજા નંબર પર છે. બંનેનો નેટ રન રેટ પોઝિટિવ છે. જ્યારે ભારત નેગેટિવ રન રેટ અને બે હાર સાથે ત્રીજા સ્થાને છે તથા અફઘાનિસ્તાન ચોથા સ્થાને છે. ભારતીય ટીમ પાસે હજુ પણ ફાઇનલમાં પહોંચવાની તક છે. જો કે બુધવારે પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચેની મેચ તેના માટે મહત્વની રહેશે. જો આવતીકાલે પાકિસ્તાન
આજની મેચ બાદ સુપર ફોરના પોઈન્ટ ટેબલમાં શ્રીલંકા બે જીત સાથે ટોપ પર છે. આ સાથે જ પાકિસ્તાન એક જીત સાથે બીજા નંબર પર છે. બંનેનો નેટ રન રેટ પોઝિટિવ છે. જ્યારે ભારત નેગેટિવ રન રેટ અને બે હાર સાથે ત્રીજા સ્થાને છે તથા અફઘાનિસ્તાન ચોથા સ્થાને છે. ભારતીય ટીમ પાસે હજુ પણ ફાઇનલમાં પહોંચવાની તક છે. જો કે બુધવારે પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચેની મેચ તેના માટે મહત્વની રહેશે. જો આવતીકાલે પાકિસ્તાનની ટીમ જીતશે તો ભારત અને અફઘાનિસ્તાન બંને એશિયા કપમાંથી બહાર થઈ જશે.
એશિયા કપની (Asia Cup 2022) સુપર 4ની ભારત (India)-શ્રીલંકા (Srilanka) વચ્ચે દુબઈમાં રમાય રહેલી આજની મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાએ 19.5 ઓવરમાં 174 રન બનાવીને મેચ જીતી લીધી હતી. સુપર-4 રાઉન્ડમાં ટીમ ઈન્ડિયાની આ સતત બીજી હાર છે. ભારતીય ટીમ એશિયા કપમાંથી બહાર ફેંકાઈ જવાની અણી પર છે.
ભારતના આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. શ્રીલંકા તરફથી પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસે શાનદાર શરૂઆત કરી હતી. આ બંને વચ્ચે મજબૂત ભાગીદારી બની હતી. નિસાન્કાએ 37 બોલમાં 52 રન બનાવ્યા હતા. તેણે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. મેન્ડિસે 37 બોલમાં 57 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. ચરિથ અસલંકા ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. અંતમાં ભાનુકા રાજપક્ષે અને દાસુન શંકાએ તોફાની ઇનિંગ્સ રમી હતી. રાજપક્ષેએ 17 બોલમાં 25 રન બનાવ્યા હતા. બીજી તરફ શંકાએ 18 બોલમાં અણનમ 33 રન બનાવ્યા હતા. ભારત તરફથી યુઝવેન્દ્ર ચહલે 3, રવિચંદ્રન અશ્વિને 1 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 35 રન આપ્યા હતા. ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 30 રન આપ્યા હતા.
ભારતે શ્રીલંકાને જીત માટે 174 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 41 બોલમાં 72 રન બનાવ્યા હતા. આ તેની t20 કારકિર્દીની 28મી અડધી સદી હતી. શ્રીલંકા તરફથી ઝડપી બોલર મદુશંકા, કરુણારત્ને અને કેપ્ટન દાસુન શનાકાએ ઘાતક બોલિંગ કરી હતી. મદુશંકાએ ત્રણ અને કરુણારત્ને-શનાકાએ બે-બે વિકેટ લીધી હતી. બીજી બાજુ ભારતની શરૂઆત ખુબ નબળી રહી હતી. ખુબ ઓછા સ્કોરમાં ભારતની પ્રથમ બે વિકેટ પડી ગઈ હતી બાદમાં રોહિતે બાજી સંભાળી ટીમને સમ્માનજનક સ્કોર પર પહોંચાડી હતી.
એશિયા કપ 2022માં (Asia Cup 2022) આજે ખુબ મહત્વપૂર્ણ મુકાબલો થવાનો છે. ટીમ ઈન્ડિયા માટે આજની મેચ કરો યા મરો બરાબર રહેવાની છે. આજે ભારતીય ટીમ શ્રીલંકા સામે ટકરાવાની છે. શ્રીલંકાએ ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ માટે નિમંત્રણ મોકલ્યું છે. આજની આ મેચમાં ભારતની ખરાબ શરૂઆત થઈ છે.
પાકિસ્તાન વિરૂદ્ધ પાંચ વિકેટથી હાર્યાં બાદ ભારત માટે આ મેચ જીતવી ખુબ જ જરૂરી છે. ભારતીય ટીમમાં  રવિ બિશ્નોઈના સ્થાને આર.અશ્વિનને સામેલ કરાયા છે. જ્યારે શ્રીલંકાની ટીમમાં કોઈ ફેરફાર નથી.
શ્રીલંકાના કપ્તાન દાસુન શનાકાએ (Dasun Shanaka) ટોસ દરમિયાન કહ્યું કે, અહીંના રેકોર્ડને કારણે અમે પ્રથમ બોલિંગ કરીશું. અમારા બેટ્સમેનોનો અભિગમ શાનદાર રહ્યો છે અને અમને આશા છે કે તે પ્રમાણે જ ચાલશે. કોચિંગ સ્ટાફ અને ખેલાડીઓએ ટીમ માટે વાતાવરણ બનાવ્યું છે.
રોહિત શર્માએ (Rohit Sharma) ટોસ પર કહ્યું કે, પીચ વધારે નથી બદલતી પણ બેટિંગ થયાં બાદ તે સારી બને છે. તેનાથી અમને વ્યવસ્થિત રમવાનો મોકો મળે છે. વિશ્વકપ પણ આવી રીતે જ રમાશે. અમે ઓછામાં ઓછી મેચ હારીએ તે સુનિશ્ચિત કરવાનું છે. અમારી ટીમમાં આજે એક ફેરફાર છે. બિશ્નોઈના સ્થાને અશ્વિન રમવા આવશે.

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ.રાહુલ, વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, દીપક હુડ્ડા, ભુવનેશ્વર કુમાર, રવિચંદ્રન અશ્વિન, અર્શદીપ સિંહ, યુજવેન્દ્ર ચહલ.
શ્રીલંકા : પથુમ નિસંકા, કુસલ મેંડિસ (વિકેટકિપર), ચરિત અસલંકા, દનુષ્કા ગુણાતિલક, ભાનુકા રાજપક્ષે, દાસુન શનાકા (કેપ્ટન), વાનિંદુ હસારંગા, ચમિકા કરૂણારત્ને, મહીષ તીક્ષ્ણા, અસિથા ફર્નાંડો, દિલશાન મદુશંકા.
Whatsapp share
facebook twitter