Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અંબાજી મંદિરને રંગબેરંગી પતંગોથી શણગારવામાં આવ્યું

07:37 PM Apr 17, 2023 | Vipul Pandya

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે.અંબાજી મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે.14 જાન્યુઆરી ઉત્તરાયણ પર્વને લઈને અંબાજી મંદિર ખાતે ખેડબ્રહ્માના સેવાભાવી ભક્તો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ઉત્તરાયણના એક દિવસ અગાઉ એટલે કે 13 જાન્યુઆરીના રોજ તેઓ અંબાજી મંદિર ખાતે આવીને અંબાજી મંદિરમાં રંગબેરંગી પતંગોનો શણગાર કરતા હોય છે. અંબાજી મંદિરમાં નૃત્ય મંડપ અને ગર્ભગૃહની બહાર સેવાભાવી ભક્તો દ્વારા મંદિર પરિસર સહિત રંગબેરંગી પતંગોનો શણગાર કરવામાં આવે છે.જેમા નાની મોટી પતંગો,હાર આકારની પતંગો,માછલી આકારની પતંગો,ફૂદા આકારની પતંગોનો તેઓ શણગાર કરતા હોય છે.

અંબાજી મંદિરમાં પણ પતંગોનો શણગાર કરવામાં આવેલ છે
જગવિખ્યાત યાત્રાધામ અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી મંદિર ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું જગતજનની જગદંબા માં અંબાનું પ્રાચીન અને પૌરાણિક મંદિર છે.આ મંદીર મા છેલ્લા પાંચ વર્ષથી અંબાજી મંદિર ખાતે ખેડબ્રહ્માના માઈ ભક્તો ચેતનભાઇ પંચાલ અને તેમની ટીમ દ્વારા પતંગો લાવીને તેઓ શણગાર કરતા હોય છે.ગબ્બર પર્વત અખંડ જ્યોત આસપાસ પણ રંગબેરંગી પતંગોનો શણગાર કરવામાં આવેલ છે અને અંબાજી મંદિરમાં પણ પતંગોનો શણગાર કરવામાં આવેલ છે.અંબાજી મંદિરમાં નૃત્ય મંડપમાં,ગણપતિ મંદિર પાસે અને આસપાસના વિસ્તારોમાં રંગબેરંગી પતંગોનો શણગાર કરવામાં આવ્યો છે.જ્યારે માઈ ભક્તો માં અંબાના મંદિરમાં જ્યારે દર્શન કરવા આવે છે ત્યારે તેઓ રંગબેરંગી પતંગોની સાથે સાથે મા અંબાના પણ દર્શન કરતા હોય છે.

જયઅંબે લખેલા પતંગો આકર્ષણનું કેન્દ્ર બન્યા 
અંબાજી મંદિરમાં વિવિધ પ્રકારના પતંગોનો શણગાર કરવામાં આવ્યો છે ત્યારે જય અંબે લખેલા પતંગો ભક્તોનું ધ્યાન ખાસ ખેંચી રહ્યા છે. ચેતનભાઇ પંચાલે જણાવ્યું હતું કે અમે જય અંબે કરેલા પતંગો ખાસ અંબાજી મંદિર માટે લાવતા હોઈએ છીએ અને અંબાજી મંદિરમાં શણગાર કરતા હોયએ છીએ.
ગબ્બર પર્વત ખાતે પણ પતંગનો શણગાર કરવામાં આવ્યો 
જગતજનની જગદંબા માં અંબાનું પ્રાચીન અને પૌરાણિક સ્થાન ગબ્બર પર્વત તરીકે ઓળખાય છે. ગબ્બર પર્વત પર ચાલતા જવાના પગથીયા 999 છે જ્યારે ઉતરવાના 765 પગથિયાં છે. ગબ્બર પર્વત ખાતે માઇ ભક્તો રોપવે દ્વારા પણ જઈ શકે છે અને ચાલતા પણ જઈ શકે છે. ગબ્બર ખાતે મા અંબાની અખંડ જ્યોત આવેલી છે. ગબ્બર ખાતે મા અંબા ની અખંડ જ્યોત હજારો વર્ષોથી પ્રજ્વલિત છે. માઈ ભક્તો માઅંબા ના દર્શન કર્યા બાદ ગબ્બર ગઢ ખાતે માતાજીના દર્શન કરવા અચૂક જતાં હોય છે. ગબ્બર અખંડ જ્યોતની આસપાસ ખેડબ્રહ્મા ના ભક્તો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી રંગબેરંગી પતંગોનો શણગાર કરવામાં આવે છે. ઉતરાયણ પર્વને લઈને હાલતો અંબાજી અને ગબ્બર પર્વત રંગબેરંગી પતંગોથી શણગારેલું જોવા મળી રહ્યું છે. ગબ્બર પર્વતની આસપાસ 51 શક્તિપીઠ આવેલ છે. દેશના અને દેશ બહારના 51 શક્તિપીઠ માઈ ભક્તો એક જ સ્થાને દર્શન કરી શકે તે માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી અંબાજી ગબ્બર પર્વતની આસપાસ શક્તિપીઠોનું નિર્માણ કરવામાં આવેલું છે. અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે તેઓ ગબ્બર ખાતે 51 શક્તિપીઠ ના દર્શન કર્યા બાદ લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળતા હોય છે. અંબાજી થી ગબ્બર ત્રણ કિલોમીટર દૂર આવેલું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ