Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

1.80 લાખ કરોડ રૂપિયાની 2000ની નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી

01:45 PM Jun 08, 2023 | Vipul Pandya
RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે અત્યાર સુધીમાં 1.80 લાખ કરોડ રૂપિયાની 2000ની નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી છે. તેમણે કહ્યું કે 31 માર્ચ, 2023 સુધી ચલણમાં હતી તે 2000 રૂપિયાની 50 ટકા નોટો છે, એટલે કે 50 ટકા નોટો પાછી આવી ગઈ છે. RBI ગવર્નરે જણાવ્યું કે આ સમયગાળા સુધી બેંકિંગ સિસ્ટમમાં 3.62 લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી.
બેંક ખાતામાં 85 ટકા નોટો જમા થઈ રહી છે
RBI ગવર્નરે કહ્યું કે 2,000 રૂપિયાની બેંક નોટમાંથી 85 ટકા સીધી બેંક ખાતામાં જમા થઈ રહી છે. તેમણે કહ્યું કે આ સંપૂર્ણપણે અમારી અપેક્ષાઓ અનુસાર છે અને બેંકોમાં નોટો જમા કરાવવા માટે કોઈ ઉતાવળ કે ગભરાટ નથી. RBI ગવર્નરે કહ્યું કે 2000 રૂપિયાની નોટો જમા કરાવવા અથવા બદલવા માટે 4 મહિનાનો સમય છે અને તેમણે કહ્યું કે નોટો જમા કરાવવા માટે ઉતાવળ કરવાની જરૂર નથી. આરબીઆઈ પાસે કરન્સીનો પૂરતો સ્ટોક છે. તેમણે લોકોને સમય કાઢીને 2000 રૂપિયાની નોટો જમા કરાવવા અથવા બદલી કરવાની સલાહ આપી. આરબીઆઈ ગવર્નરે ચેતવણી આપતાં  એમ પણ કહ્યું કે લોકોને  દરેક કામ છેલ્લી ઘડીએ કરવાની આદત છે. તેથી એવું ન થવું જોઈએ કે જ્યારે 2000 રૂપિયાની નોટ જમા કરાવવાની સમય મર્યાદા પૂરી થઈ રહી છે ત્યારે સપ્ટેમ્બરના છેલ્લા 10થી 15 દિવસમાં બેંકોમાં નોટો જમા કરાવવા કે બદલવાની સ્પર્ધા શરૂ થઈ જાય.

1000 રુપિયા શરૂ કરવાની શક્યતાનો ઈન્કાર!
આરબીઆઈ ગવર્નરને પૂછવામાં આવ્યું કે શું 1000 રૂપિયાની નોટને ફરીથી લોન્ચ કરી શકાય છે કે 500 રૂપિયાની નોટ પાછી ખેંચી શકાય છે? આરબીઆઈ ગવર્નરે તેના જવાબમાં કહ્યું કે તેમની પાસે આ વિશે કોઈ માહિતી નથી. કહ્યું કે એવો કોઈ વિચાર નથી. તેમણે સામાન્ય લોકોને આ અંગે અટકળો ન કરવા અપીલ કરી છે.
30 સપ્ટેમ્બર નોટ જમા કરાવવાની અંતિમ તારીખ છે
19 મે, 2022 ના રોજ, RBI એ 2000 રૂપિયાની ચલણી નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી. આની જાહેરાત કરતાં RBIએ કહ્યું કે Clean Note Policy હેઠળ RBIએ 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. 2000 રૂપિયાની નોટ ચલણમાં બંધ થઈ શકે છે પરંતુ 2000 રૂપિયાની નોટ કાયદેસર રીતે માન્ય રહેશે. RBIએ કહ્યું છે કે 30 સપ્ટેમ્બર 2023 સુધી બેંકોમાં 2000 રૂપિયાની નોટ બદલી શકાશે. આ સાથે, બેંકોની શાખાઓમાં અને RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં 2000 રૂપિયાની નોટ અન્ય મૂલ્યના ચલણ સાથે બદલી શકાય છે.