+

ચૈત્ર નવરાત્રિમાં અવશ્ય કરો આ કામ, આખું વર્ષ વરસશે મા દુર્ગાના આશીર્વાદ

ચૈત્ર નવરાત્રિ એ હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ તહેવાર ગણાય છે. નવ દિવસનું આ પર્વ અનિષ્ટ પર સત્યની જીતનું પ્રતીક છે. નવરાત્રિની નવ રાત્રિઓ હિંદુ ધર્મની ત્રણ સર્વોચ્ચ દેવીઓ માતા દુર્ગા, માતા મહાલક્ષ્મી અને માતા સરસ્વતીને સમર્પિત છે. પ્રથમ ત્રણ દિવસ દેવી દુર્ગાના છે, જે શક્તિ અને ઉર્જાનું પ્રતીક છે. નવરાત્રિના આગામી ત્રણ દિવસ દેવી લક્ષ્મીના છે, જે લોકોને સંપત્તિ અને સમૃદ્ધિના આશà«
ચૈત્ર નવરાત્રિ એ હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ તહેવાર ગણાય છે. નવ દિવસનું આ પર્વ અનિષ્ટ પર સત્યની જીતનું પ્રતીક છે. નવરાત્રિની નવ રાત્રિઓ હિંદુ ધર્મની ત્રણ સર્વોચ્ચ દેવીઓ માતા દુર્ગા, માતા મહાલક્ષ્મી અને માતા સરસ્વતીને સમર્પિત છે. પ્રથમ ત્રણ દિવસ દેવી દુર્ગાના છે, જે શક્તિ અને ઉર્જાનું પ્રતીક છે. નવરાત્રિના આગામી ત્રણ દિવસ દેવી લક્ષ્મીના છે, જે લોકોને સંપત્તિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. જ્યારે છેલ્લા 3 દિવસ દેવી સરસ્વતીને સમર્પિત છે, જે આધ્યાત્મિક જ્ઞાન સાથે દેવતાઓને આશીર્વાદ આપનાર સ્વરુપ છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન માતા દુર્ગા સ્વયં ઘરમાં આવે છે, તેથી તમે જે પણ કર્મ કરો છો તેના પર વિશેષ ધ્યાન આપવું જોઇએ. સાથે નવરાત્રિ દરમિયાન કેટલીક વાસ્તુ ટિપ્સ અનુસરીને વર્ષભર ઘરને સુખ અને સમૃદ્ધિથી ભરી શકો છો.
કેરીના પાનનું તોરણ બાંધો
વાસ્તુ નિષ્ણાતોના મતે મુખ્ય દરવાજા પર આંબાના પાનનું તોરણ લગાવવાથી નકારાત્મક ઉર્જાઓ ઘરમાં પ્રવેશતી અટકે છે. આવી સ્થિતિમાં નવરાત્રિ દરમિયાન દરવાજા પર આંબાના પાનનું તોરણ લગાવવાનું ભૂલશો નહીં.

દુર્ગા માની ચોકી 
વાસ્તુ અનુસાર નવરાત્રિમાં માતા દુર્ગાની મૂર્તિને ચંદન દ્વારા ચૌકી બનાવીને અથવા બાજટ પર લાલ આસન બનાવીને સ્થાપન કરવાથી ઘરના તમામ વાસ્તુ દોષ દૂર થઈ જાય છે.
સૂર્યદેવની પૂજા કરો
નવરાત્રિ દરમિયાન ગ્રહોના સ્વામી સૂર્યદેવની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. જો ક્રોધ વધારે હોય તો આ 9 દિવસોમાં સૂર્યને જળ અવશ્ય અર્પિત કરો.
માછલીની પૂજા કરો
ચૈત્ર મહિનામાં ભગવાન વિષ્ણુના મત્સ્ય સ્વરૂપની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. તેમજ આ 9 દિવસોમાં માછલીઓને ખવડાવવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે.

દુર્ગા માને લાલ ફૂલ ચઢાવો
આખા ચૈત્ર મહિનામાં દેવી લક્ષ્મીને શુદ્ધ ગુલાબનું અત્તર અથવા લાલ ગુલાબનું ફૂલ અર્પણ કરો. વાસ્તુ અનુસાર આનાથી માતાજી પ્રસન્ન થાય છે અને ઘરમાં શુભ લક્ષ્મી સાથે સમૃદ્ધિ પણ રહે છે.

લાલ ફળોનું દાન કરો
એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન લાલ ફળોનું દાન કરવું જોઈએ. તેનાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને માતાના પરમ આશીર્વાદ પણ મળે છે.

બધી ઈચ્છાઓ પૂર્ણ થશે
નવરાત્રિના કોઈપણ દિવસે એક દિવસ ઘરના મંદિરમાં એક કપૂરી પાન પર 2 લવિંગ રાખો અને તેને બીજા દિવસે પાણીમાં વહેવડાવી દો. આનાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.
Whatsapp share
facebook twitter