- Hathras માંથી એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો
- ડીએલ શાળાના વિદ્યાર્થીના બલિ કેસમાં નવો વળાંક
- કૃતાર્થની તંત્ર મંત્રના નામ પર બલિ ચઢાવવામાં આવી
- એજ્યુકેશન ઓફિસરે શાળાનો બંધ કરવાના આદેશ આપ્યા
હાથરસ (Hathras)માંથી એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે . અહીં, સહપઉ વિસ્તારના રાસગવાન ગામમાં ડીએલ આવાસીય શાળાના ધોરણ 2 ના વિદ્યાર્થી કૃતાર્થ (Krutarth Murder Case)ની તંત્ર મંત્રના નામ પર બલિ ચઢાવવામાં આવી હતી. વિદ્યાર્થીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. તે હોસ્ટેલમાં રહીને ભણતો હતો. સ્કુલ મેનેજર દિનેશ બઘેલની કારમાંથી વિદ્યાર્થીની લાશ મળી આવી હતી. દિનેશ બઘેલના પિતા જશોધન સિંહ તંત્ર મંત્ર કરતા હતા. શાળાની પ્રગતિ માટે તેમણે તંત્ર મંત્રનો સહારો લીધો. તેમનું માનવું હતું કે બાળકની બલિ આપવાથી શાળાના વ્યવસાયમાં મદદ મળશે. પોલીસે આ કેસમાં 5 લોકોની ધરપકડ કરી છે. હવે આ મામલે નવો વળાંક આવ્યો છે.
અગાઉ પણ મારી નાખવાનો પ્રયાસ થયો હતો…
મળતી માહિતી મુજબ, વિદ્યાર્થીની હત્યા પહેલા વધુ બે વિદ્યાર્થીઓની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગે પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તેમ છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. જો ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી હોત તો બાળકનો જીવ બચી શક્યો હોત.
VIDEO | A class 2 student at a private school died under mysterious circumstances in Hathras. The body of the student was recovered from school director Dinesh Baghel’s car, the police said. The family of the child has alleged that he was killed as part of ‘black magic’ rituals.… pic.twitter.com/MqbnbgIoiw
— Press Trust of India (@PTI_News) September 27, 2024
આ પણ વાંચો : BJP ના સુંદર સિંહે દિલ્હી MCD સ્ટેન્ડિંગ કમિટીની સીટ જીતી, AAP ઉમેદવારને શૂન્ય વોટ મળ્યા
પીપળના ઝાડ પાસે યજ્ઞ કરવામાં આવ્યો હતો…
આ સાથે ડીએલ પબ્લિક શાળા પાસે 300 મીટર દૂર પીપળનું ઝાડ હોવાનું પણ બહાર આવ્યું છે. જ્યાં પૂજા અર્ચના કરવામાં આવી હતી. અહીં એક રૂમ પણ છે. જ્યાં તંત્ર મંત્રના નામે બાળાઓની આહુતિ આપવામાં આવી હતી. અન્ય વિદ્યાર્થીઓની પણ અહીં બલિ ચઢાવવામાં આવી હતી, પરંતુ પરિવારજનોને સમયસર જાણ થઈ હતી. પરિવારજનોનો આરોપ છે કે આ બધું શાળાની ખ્યાતિ માટે કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : Delhi : ‘બધું હવામાં છે’, દિલ્હીમાં વાયુ પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટ નારાજ, CAQM ને લગાવી ફટકાર
શાળાની માન્યતા રદ કરી…
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેઝિક એજ્યુકેશન ઓફિસર સ્વાતિ ભારતીયે 9 વર્ષના વિદ્યાર્થી કૃતાર્થની હત્યા કેસ (Krutarth Murder Case)માં મોટી કાર્યવાહી કરી છે. આ શાળાને બંધ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ શાળા પરવાનગી વગર ચાલી રહી હતી. શાળા સામે કેસ નોંધવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : શું છે MUDA કૌભાંડ? કર્ણાટકના CM સિદ્ધારમૈયાની મુશ્કેલી વધી, લોકાયુક્તે નોંધ્યો કેસ