- અમેરિકામાં હિન્દુ મંદિરો પર હુમલાની ઘટનાઓ વધી
- સેક્રામેન્ટોમાં BAPS મંદિરમાં તોડફોડ કરવામાં આવી
- કટ્ટરવાદીઓએ મંદિરની દિવાલો પર હિંદુઓ પાછા જાઓના નારા લખ્યા
BAPS Temple Vandalized : અમેરિકામાં હિન્દુ મંદિરો પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. હવે સેક્રામેન્ટોમાં BAPS મંદિર ( BAPS Temple Vandalized) માં તોડફોડ કરવામાં આવી છે. કટ્ટરવાદીઓએ મંદિરની દિવાલો પર હિન્દુ વિરોધી સંદેશાઓ લખીને તોડફોડ કરી હતી. કટ્ટરવાદીઓએ મંદિરની દિવાલો પર હિંદુઓ પાછા જાઓના નારા લખ્યા છે. આ ઘટનાથી ત્યાં રહેતા હિંદુઓમાં ભય ફેલાયો છે. સેક્રામેન્ટો જ્યાં આ ઘટના બની તે કેલિફોર્નિયાની રાજધાની છે. . અમેરિકામાં એક જ મહિનામાં સ્વામી નારાયણ મંદિરમાં તોડફોડની આ બીજી ઘટના છે
સ્વામી નારાયણ મંદિરમાં ફરી તોડફોડ
તાજેતરમાં જ ન્યૂયોર્કથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ત્યાં પણ સ્વામી નારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. લગભગ 10 દિવસ પહેલા બનેલી આ ઘટના બાદ હવે સેક્રામેન્ટોમાં મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે અને ભારતીય કોન્સ્યુલેટે આ ઘટનાની નિંદા કરી છે. હવે ફરી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
US: BAPS Mandir in Sacramento vandalised with anti-Hindu messages
Read @ANI Story | https://t.co/II3TgdBbGr#US #BAPS #Sacramento #Mandir pic.twitter.com/8cv9zgdP6I
— ANI Digital (@ani_digital) September 26, 2024
આ પણ વાંચો––Vadodara: BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા પૂર અસરગ્રસ્ત પરિવારોને ભોજન વ્યવસ્થા કરાઇ
નફરત ફેલાવતા સંદેશાઓ સાથે મંદિરમાં તોડફોડ કરવામાં આવી
Last night, the #BAPS Hindu Mandir in Sacramento was vandalized with xenophobic, anti-Hindu graffiti. This afternoon, the Sacramento community gathered to offer prayers for peace and #BAPSLosAngeles stands with them and all victims of such hate. https://t.co/tpWlYNHVKZ pic.twitter.com/25nYralsXU
— BAPS Los Angeles (@bapslosangeles) September 26, 2024
હિંદુ સંગઠન BAPS એ એક નિવેદન જારી કરીને કહ્યું કે ન્યૂયોર્કમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની તોડફોડના 10 દિવસથી પણ ઓછા સમય બાદ સેક્રામેન્ટોમાં અમારા મંદિરને અપવિત્ર કરવામાં આવ્યુ છે. નફરત ફેલાવતા સંદેશાઓ સાથે મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. અમે આનાથી ખૂબ જ દુઃખી છીએ. હૃદયમાં નફરત કરનારાઓ સહિત દરેક માટે અમારી પ્રાર્થના.
આ પહેલા પણ હિન્દુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે
- જુલાઈની શરૂઆતમાં, કેનેડાના એડમોન્ટનમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી.
- 10 દિવસ પહેલા ન્યૂયોર્કના મેલવિલેમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ.
- હવે સેક્રામેન્ટોમાં BAPS મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે અને નફરતના સંદેશા લખવામાં આવ્યા છે.
સેક્રામેન્ટો કાઉન્ટીમાં નફરત માટે કોઈ જગ્યા નથી
સેક્રામેન્ટો કાઉન્ટીનું પ્રતિનિધિત્વ કરતા સેનેટર અમી બેરાએ મંદિરની ઘટનાની નિંદા કરી અને લોકોને અસહિષ્ણુતા સામે આગળ આવવા હાકલ કરી. તેમણે X પર એક પોસ્ટ જારી કરીને કહ્યું કે સેક્રામેન્ટો કાઉન્ટીમાં ધાર્મિક કટ્ટરતા અને નફરત માટે કોઈ સ્થાન નથી દરેકે અસહિષ્ણુતા સામે એક સાથે ઊભા રહેવું જોઈએ. તે સુનિશ્ચિત કરવું જોઈએ કે દરેક ધર્મના લોકો આપણા સમુદાયમાં સુરક્ષિત અને સન્માનિત અનુભવે.
આ પણ વાંચો––ન્યૂયોર્કના મેલવિલેમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતનો વિરોધ