+

AHMEDABAD : શું શહેરમાં પરકોલેટીંગ વેલ યોજનામાં તંત્ર નિષ્ફળ ગયું?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ( AHMEDABAD ) મહાનગરપાલિકાને ટકોર કરી હતી કે શહેરમાં વધુને વધુ પરકોલેટીંગ વેલ બને તેવું આયોજન કરો.વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લે તેવી સૂચના…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ( AHMEDABAD ) મહાનગરપાલિકાને ટકોર કરી હતી કે શહેરમાં વધુને વધુ પરકોલેટીંગ વેલ બને તેવું આયોજન કરો.વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લે તેવી સૂચના આપી હતી આમ છતાં જે તંત્ર છે તે આ કામગીરી કરવામાં નિષ્ફળ ગયું હોય તેમ લાગે છે.. માત્ર 40 સોસાયટીઓ એ જ આ યોજનામાં રસ દાખવ્યો..

અમદાવાદ ( AHMEDABAD ) કોર્પોરેશન દ્વારા શહેરની પાણીની સમસ્યાયા થોડી હળવી કરવા પરકોલેટીંગ વેલની નીતિની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ શહેરીજનોએ આ નીતિમાં બહુ રસ દાખવ્યો હોય તેમ લાગતું નથી.. કોર્પોરેશન દ્વારા આ યોજનાને સફળ બનાવવા 80- 20 ની સ્કીમ લાગુ કરવામાં આવી. એટલે કે 80% રકમ કોર્પોરેશન આપશે અને 20% રકમ સોસાયટીએ ભરવાની રહેશે. છતાં નાગરિકો પરકોલેટીંગ વેલમાં રસ લઈ રહ્યા નથી. કોર્પોરેશનમાં પર કોલેટી વેલને લઈને માત્ર 40 અરજીઓ જ આવી છે અને તેમાં પણ 15 સોસાયટીઓએ નાણાં ભર્યા નથી..એટલેકે તેઓએ માત્ર કરવા ખાતર અરજી કરી છે. 35 સોસાયટીઓ જ પરકોલેટિંગ વેલનો ઉપયોગ કરશે. કોર્પોરેશન માં આવેલી અરજીઓમાં સૌથી વધુ અરજીઓ પૂર્વઝોનની છે.

પરકોલેટીંગ વેલની આવેલ અરજીઓને ઝોન પ્રમાણે જોઈએ તો
ઝોન    આવેલો અરજીઓ
પશ્ચિમ              2
દક્ષિણ              6
પૂર્વ                  17
ઉત્તર પશ્ચિમ    15
કુલ                  40
40 અરજીઓ પૈકી   3 સોસાયટીમાં કામ પૂર્ણ થયું છે જ્યારે  4 સોસાયટીઓમાં કામગીરી ચાલુ છે.15 સોસાયટીઓ એ 20% ફાળો ભરેલ નથી
18 સોસાયટીઓ અંદાજ અને ટેન્ડર કરવાની પ્રક્રિયા ચાલુ છે.
અહેવાલ – રીમા દોશી 
Whatsapp share
facebook twitter