Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અહીં બનશે અયોધ્યા કરતા ચાર ઘણું ઊંચું Ram Mandir! આ રહી તમામ વિગત

03:09 PM Jan 20, 2024 | VIMAL PRAJAPATI
Ram Mandir: ઓસ્ટ્રેલિયામાં દુનિયાનું સૌથી ઊંચુ રામ મંદિર બનવા જઈ રહ્યું છે. આ મંદિરનું નિર્માણ કાર્ય ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં શ્રીરામ વૈદિક અને સાંસ્કૃતિક ટ્રસ્ટ દ્વારા કરાવવામાં આવશે. આ મંદિર બનાવવા માટે આશરે 600 કરોડનું ખર્ચ થશે એવું અનુમાન લગાવામાં આવ્યું છે. શ્રી સીતારામ ટ્રસ્ટના ડેપ્યુટી હેડ ડો.હરેન્દ્ર રાણાએ માહિતી આપી હતી કે, 150 એકર જમીનમાં 600 કરોરના ખર્ચે આ પ્રભુ શ્રીરામના મંદિરનું નિર્માણ કરવામાં આવશે. આ ટ્રસ્ટના અધ્યક્ષ ડો.દિલાવર સિંહ છે અને તેઓ 35 વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં જ રહે છે.

અયોધ્યામાં બનેલા રામ મંદિરની ઊંચાઈ 161 ફુટ

રામ મંદિર (Ram Mandir) પરિસરમાં હનુમાન વાટિકા, સીતા વાટિકા, જટાયું બાગ, શબરી વન, જામવંત સદર, નલ નીલ ટેક્નોલોજી અને ગુરૂ વશિષ્ઠ જ્ઞાન કેન્દ્ર બનાવવામાં આવશે. મંદિર પરિસરમાં 55 એકર જમીનમાં સનાતન વૈદિક વિશ્વવિદ્યાલય પણ બનાવવામાં આવશે. મળતી વિગતો પ્રમાણે આ મંદિરની ઊંચાઈ 721 ફુટની હશે. તમને જણાવી દઈએ કે, અયોધ્યામાં બનેલા રામ મંદિરની ઊંચાઈ 161 ફુટની છે. પરંતુ ઓસ્ટ્રેલિયામાં જે મંદિર બનવાનું છે તે અયોધ્યાના રામ મંદિર કરતા 5 ગણુ ઊંચું હશે.

હનુમાનજીની 108 ફૂટની મૂર્તિ સ્થાપિત કરાશે

મળતી વિગતો પ્રમાણે આ મંદિર (Ram Mandir)ના પરિસરના હનુમાન વાટિકામાં હનુમાનજીની 108 ફૂટની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. તે સિવાય વાત કરવામાં આવે છે તો પરિસરમાં શિવ સપ્ત સાગર નામનો કુંડ પણ બનાવાશે, જેમાં ભગવાન શિવની 51 ફુટની પ્રતિમા રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ પરિસરમાં સાંસ્કૃતિક સ્થાનો પર બનાવામાં આવશે. જેમાં પારંપરિક ભારતીય વ્યંજન તેવી સીતા રસોઈ રેસ્ટોરેન્ટ, પવિત્ર ગ્રંથો અને ઐતિહાસિક કલાકૃતિઓ વાળું એક રામાયણ સદન પુસ્તકાલય અને સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રદર્શનોની મેજબાની માટે તુલસીદાસ હોલ પણ સામેલ છે.

આ પણ વાંચો: રામ મંદિરના ધ્વજ પર હશે આ વૃક્ષ, રામાયણ કાળ સાથે છે સંબંધ

આ મંદિરમાં આવા સ્થાનો પણ બનાવાશે

આ સાથે મંદિરમાં એક યોગ ન્યાયાલય, એક ધ્યાન કેન્દ્ર, એક વેદ શિક્ષણ કેન્દ્ર, એક અનુંસંધાન કેન્દ્ર અને એક સંગ્રહાલય સહિત આધ્યાત્મિક સ્થાન બનાવવામાં આવશે. ટેક્નોલોજી ગાર્ડન જેવા વિસ્તારો સાથે મંદિરમાં કેટલાક ટેક્નોલોજીકલ પાસાઓનો પણ સમાવેશ કરવામાં આવશે. ટ્રસ્ટે જણાવ્યું હતું કે તે “શૂન્ય કાર્બન ફૂટપ્રિન્ટ” સુનિશ્ચિત કરતી વખતે, બાયો-સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સોલાર પાવર પ્લાન્ટનો સમાવેશ કરીને પર્યાવરણીય ટકાઉપણું પર કેન્દ્રીય તબક્કો લેવા તૈયાર છે. તેની નોંધપાત્ર આર્થિક અને સાંસ્કૃતિક અસરો થવાની અપેક્ષા છે.