Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ફાયર છે આપણા પુષ્કર, ઝૂકશે નહીં: રક્ષામંત્રી રાજનાથ સિંહ

09:47 AM Apr 17, 2023 | Vipul Pandya

દક્ષિણ ભારતના પ્રખ્યાત ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુન અને અભિનેત્રી રશ્મિકા મંદાન્નાની તમિલ ફિલ્મ ‘પુષ્પા’ રિલીઝ થયા બાદ તેના ડાયલોગ્સના કારણે સતત ચર્ચામાં રહી છે. સોશિયલ મીડિયા પર સતત ફિલ્મની ચર્ચા થઈ રહી છે ક્રિકેટરોથી લઈ અનેક લોકો પુષ્પા સ્ટાઇલથી ચર્ચામાં રહે છે, પરંતુ હવે તો પોલિટિક્સમાં પણ પુષ્પા ઈફેક્ટ… ચૂંટણી સભામાં રક્ષામંત્રીએ રાજનાથ સિંહે પુષ્પા સ્ટાઈલમાં લોકોને સંબોધ્યા

કોંગ્રેસીઓએ પુષ્કરને ફૂલ સમજ્યું: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ઉત્તરાખંડના ગંગોલીહાટમાં એક જનસભાને સંબોધતા રાજનાથ સિંહે ફિલ્મ પુષ્પાના ડાયલોગને સીએમ પુષ્કર સિંહ ધામી સાથે જોડીને અલગ રીતે રજૂ કર્યા. તેમણે કહ્યું કે, ‘આજકાલ પુષ્પા ફિલ્મના નામની ખૂબ ચર્ચા થાય છે અને આપણા સીએમનું નામ પુષ્કર છે, કોંગ્રેસીઓએ પુષ્કરને ફૂલ સમજ્યા છે પરંતુ હું તેમને કહેવા માંગુ છું કે મારા પુષ્કર એક ફૂલ પણ છે અને આગ પણ છે’. આપણા પુષ્કર ક્યારેય ઝૂકશે નહીં અને ક્યારેય અટકશે નહીં.” આ પહેલા રક્ષા મંત્રીએ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘હું કોંગ્રેસને આદર સાથે કહેવા માંગુ છું કે તેમની પાસે કોઈ નીતિ નથી, કોઈ ઈરાદો નથી અને તેમના વિકાસમાં કોઈને વિશ્વાસ નથી. કોંગ્રેસે હંમેશા દેશ અને રાજ્યને લૂંટ્યું છે. અમે ઉત્તરાખંડને હવે વધુ ઝૂકવા દઈશું નહીં’

  

ઉત્તરાખંડના ગંગોલીહાટમાં રક્ષામંત્રી
રાજનાથ સિંહે કહ્યું
, ‘
ઉત્તરાખંડમાં કોંગ્રેસની હાલત એવી છે કે તેઓ મુખ્યમંત્રી જાહેર
કરવાની સ્થિતિમાં નથી
,
તેથી તેમણે કોઈ નેતાની જાહેરાત કરી નથી અને તેમના ઘરમાં આગ લાગી છે’.